કેજરીવાલનો ભાજપને સવાલ, વિવેક તો હિન્દૂ હતો, તેને કેમ માર્યો?
ઉત્તરપ્રદેશની રાજધાની લખનવમાં જે રીતે એપલ કંપનીના મેનેજર પદ પર કામ કરી રહેલા વિવેક તિવારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે
ઉત્તરપ્રદેશની રાજધાની લખનવમાં જે રીતે એપલ કંપનીના મેનેજર પદ પર કામ કરી રહેલા વિવેક તિવારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે, ત્યારપછી સતત આ મુદ્દાને લઈને અલગ અલગ પાર્ટીના લોકો યોગી સરકારને ઘેરી રહ્યા છે. રાજ્યના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પછી હવે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પણ યોગી સરકાર પર પ્રહાર કર્યા છે.
આ પણ વાંચો: સીએમ યોગીઃ વિવેક તિવારીનું એન્કાઉન્ટર નથી થયુ, જરૂર પડી તો CBI તપાસ થશે
|
વિવેક તો હિન્દૂ હતો, તેને કેમ માર્યો?
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે ટવિટ કરીને જણાવ્યું છે કે વિવેક તિવારી તો હિન્દૂ હતો, તેને કેમ માર્યો? અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ભાજપા નેતા આખા દેશમાં હિન્દૂ છોકરીઓનું રેપ કરતા ફરે છે, તેઓ હિન્દુઓના પક્ષમાં નથી. જો સત્તા મેળવવા માટે બધા જ હિંદુઓને મારવા પડે તો પણ તેઓ 2 મિનિટ પણ નહીં વિચારે.

એન્કાઉન્ટર નથી
સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની નિંદા કરી છે. વળી, તેમણે દોષિઓ સામે આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે. સીએમ યોગીએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે આ એક એન્કાઉન્ટર નથી. આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો જરૂર પડી તો અમે આ ઘટનાની સીબીઆઈ તપાસના પણ આદેશ આપીશુ.

કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ શંકાના આધારે ગોળી ચલાવી
વિવેક તિવારી આઈફોન લૌન્ચિંગ પછી પોતાની મહિલા સહકર્મી સના ખાન સાથે ઘરે આવી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને ગાડી રોકવાનો ઈશારો કર્યો તો વિવેકે તેને ગણકાર્યો નહીં. કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ શંકાના આધારે ગોળી ચલાવી, જેથી વિવેકની મૌત થઇ ગઈ.

આઇપીસી ધારા 302 હેઠળ હત્યાનો ગુનો નોંધાયો
ગોળી ચલાવનાર કોન્સ્ટેબલ સામે આઇપીસી ધારા 302 હેઠળ હત્યાનો ગુનો નોંધી લેવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
