રાહુલ ગાંધી બોલ્યા- NYAY માટે રઘુરામ રાજનની પણ સલાહ લીધી
રાહુલ ગાંધી બોલ્યા- NYAY માટે રઘુરામ રાજનની પણ સલાહ લીધી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું વચન આપ્યું કે જો તેમની સરકાર બનશે તો દેશના 20 ટકા સૌથી ગરીબ લોકોને ન્યૂનતમ આવક યોજના (NYAY) અંતર્ગત દર વર્ષે 72000 રૂપિયા આપશે. તેમણે દાવો કર્યો હતો કે આનાથી 5 કરોડ પરિવારો અને 25 કરોડ લોકોને સીધો લાભ થશે. ઉપરાંત રાહુલ ગાંધીનું કહેવું છે કે તેમની પાર્ટીએ ન્યાય યોજના માટે જે અર્થશાસ્ત્રિઓની સલાહ લીધી તેમાં રિઝર્વ બેંકના પૂર્વ ચેરમેન રઘુરામ રાજ પણ સામેલ છે.
રઘુરામની પણ સલાહ લીધી
રાજસ્થાનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ ન્યૂયનતમ આવક યોજનાને ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઈક કરાર આપતાં દાવો કર્યો કે તેઓ દેશથી ગરીબી ખતમ કરી મૂકશે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ કોંગ્રેસની ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઈક છે. ભાજપે ગરીબોને ખતમ કરવાનું કામ કર્યું છે, અમે ગરીબી ખતમ કરીશું.
|
6 મહિનાથી કોંગ્રેસ કામ કરી રહી છે
રાહુલ ગાંધીએ કહ્યું કે ન્યૂનતમ આવક યોજના માટે તેમની પાર્ટીએ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સહિત દુનિયાભરના પ્રમુખ અર્થશાસ્ત્રિઓ સાથે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે પાછલા 6 મહિનાથી કોંગ્રેસ આના પર કામ કરી રહી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલી વાત સામે આવી કે ન્યૂનતમ આવકની રેખા બનાવવી પડશે અને તે રેખા રૂપિયા 12000 દર મહિનાના રૂપમાં સામે આવી. જણાવી દઈએ કે આ યોજના દેશની સરકારી ખજાના પર વ્યાપક અસર પાડે તેવી સંભાવના છે, જે 3.6 લાખ કરોડ વાર્ષિક રાશિ હશે.
વાર્ષિક 72000 આપવા કોંગ્રેસનું એલાન
સોમવારે આ યોજના વિશે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ યોજના અંતર્ગત પૈસા સીધા તેમના બેંક અકાઉન્ટમાં જમા થશે. મંગળવારે પાર્ટીએ ન્યૂનતમ આવક યોજનાને લઈ મોટી એક ઘોષણા કરી. કોંગ્રેસ પ્રવક્તા અને રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી જણાવ્યું કે ન્યૂનતમ આવક યોજના અંતર્ગત 72000 ૂપિયા મહિલાઓના ખાતામાં આવશે.
ચૂંટણી રેલીમાં સંબિત પાત્રા ભગવાનની મૂર્તિ લઈ પહોંચ્યા, કોંગ્રેસે નોંધાવી ફરિયાદ