'2024માં અમે 40 બેઠકો પર સ્વતંત્ર ચૂંટણી લડીશું', બિહાર કોંગ્રેસ પ્રભારીએ આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસના નેતાઓ કન્હૈયા કુમાર અને હાર્દિક પટેલના બિહાર પ્રવાસ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ભક્ત ચરણ દાસે પટના પહોંચ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનથી સ્પષ્ટ છે કે, મહાગઠબંધનમાં મોટો અણબનાવ થયો છે.
પટના : કોંગ્રેસના નેતાઓ કન્હૈયા કુમાર અને હાર્દિક પટેલના બિહાર પ્રવાસ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ભક્ત ચરણ દાસે પટના પહોંચ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનથી સ્પષ્ટ છે કે, મહાગઠબંધનમાં મોટો અણબનાવ થયો છે. પટના એરપોર્ટ પર મીડિયાકર્મીઓ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમે ચૂંટણીઓ પૂરા જોર સાથે લડી રહ્યા છીએ અને અમારી તાકાત પર લડી રહ્યા છીએ.
આરજેડીએ મહાગઠબંધન નિયમોનું પાલન કર્યું નથી
તેના કોંગ્રેસ પ્રભારીએ જણાવ્યું કે, 2024 ની લોકસભા ચૂંટણીમાં બિહારની તમામ 40 સંસદીય બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડવામાં આવશે.
કોંગ્રેસના પ્રભારી ભક્તચરણ દાસે સ્પષ્ટ કર્યું છે કે, આરજેડીએ મહાગઠબંધન નિયમોનું પાલન કર્યું નથી. આથી જ અમે પેટા ચૂંટણીમાં પૂરા બળ સાથે લડી રહ્યા છીએ. અમારા તમામ નેતાઓબિહાર પહોંચી ગયા છે અને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
મનોજ ઝાએ કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસને સંઘી ગણાવ્યા
જ્યારે આરજેડી સાંસદ મનોજ ઝાએ કોંગ્રેસીઓને સંઘી કહ્યું, તો કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસે વળતો જવાબ આપતા કહ્યું કે, અમને ખબર નથી કે તેમણે શું કહ્યું.આપણે એટલું જ જાણીએ છીએ કે અમે ગઠબંધન તોડ્યું નથી.
ભક્ત ચરણ દાસે કહ્યું હતું કે, પેટા ચૂંટણી બાદ આરજેડી ભાજપમાં જોડાઇ જશે.
જેનો જવાબ આપતાઆરજેડી સાંસદ મનોજ ઝાએ કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસને સંઘી ગણાવ્યા હતા.
પેટા ચૂંટણીએ મહાગઠબંધનની એકતાની પોલ ખુલી
ઉલ્લેખનીય છે કે, બિહારમાં બે વિધાનસભા બેઠકો પર થઈ રહેલી પેટા ચૂંટણીએ મહાગઠબંધનની એકતાની પોલ ખોલી છે.
પહેલા આરજેડીએ બંને વિધાનસભા બેઠકોપરથી પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે બાદમાં કોંગ્રેસે પણ બંને બેઠકો પરથી પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
ત્યારથી બંને પક્ષો વચ્ચે વાક યુદ્ધ શરૂથયું છે. બંને પક્ષોના નેતાઓ દ્વારા એકબીજા પર મહાગઠબંધનના નિયમોનું પાલન ન કરવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.