પંજાબ, પંજાબીઓ અને ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહીશું-રાઘવ ચઢ્ઢા
આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ નવનિર્મિત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને અભિંદન આપ્યા હતા.
ચંદીગઢ : આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ નવનિર્મિત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને અભિંદન આપ્યા હતા. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વતી તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કરે છે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે ઉપરાષ્ટ્રપતિ ખેડૂત પૃષ્ઠભૂમિને કારણે રાજ્યસભામાં ખેડૂતોના મુદ્દાઓને પહેલા કરતા વધુ પ્રાધાન્ય આપશે. તેમણે કહ્યું કે, તેઓ પંજાબના કૃષિપ્રધાન રાજ્યના પ્રતિનિધિ છે, તેથી તેઓ રાજ્યસભામાં પંજાબ, પંજાબીઓ અને ખેડૂતોને લગતા મુદ્દાઓને જોરશોરથી ઉઠાવતા રહેશે. તેમને ખાતરી છે કે ઉપરાષ્ટ્રપતિ તેમને પૂરો સમય અને સમર્થન આપશે.
અહીં રાઘવ ચઢ્ઢાએ મજાકમાં કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજ્યસભામાં સૌથી વરિષ્ઠ છે અને હું સૌથી યુવા સાંસદ છુ. તેથી ધનખડ એક પરિવારની જેમ તેની ખાસ કાળજી લેશે. રાજ્યસભાના અધ્યક્ષ ધનખડેએ પણ મજાકમાં જવાબ આપ્યો કે, હું જેને પ્રેમ અને સન્માન કરું છું, તે સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરે છે.
રાઘવ ચઢ્ઢાએ દિલ્હી એમસીડીની જીતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, બીજેપીએ દિલ્હીમાં ગંદકી કરી છે. સ્વચ્છતા મહાનગરપાલિકાની પ્રથમ અને બંધારણીય જવાબદારી છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાએ આપેલી જવાબદારી નિભાવી છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી આપ ઉપર આવશે અને દિલ્હી સુંદર બનશે.