પંજાબ: નવા CM બનતા જ ચરણજીત સિંહે કરી મોટી જાહેરાત, કહ્યું- અમે ખેડૂતોના પાણી અને વિજળીનું બિલ માફ કરીશુ
પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે શપથ લીધા બાદ પત્રકાર પરિષદમાં ઘણી મોટી જાહેરાત કરી હતી. ચરણજીત સિંહ ચન્ની પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી બન્યા છે. પંજાબના નવા સીએમ ચરણજીત સિંહે કહ્યું કે, અમે ખેડૂતોના
પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે શપથ લીધા બાદ પત્રકાર પરિષદમાં ઘણી મોટી જાહેરાત કરી હતી. ચરણજીત સિંહ ચન્ની પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી બન્યા છે. પંજાબના નવા સીએમ ચરણજીત સિંહે કહ્યું કે, અમે ખેડૂતોના પાણી અને વીજળીના બિલ માફ કરીશું. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ચંદીગઢમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, પંજાબ સરકાર ખેડૂતોની સાથે છે. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચો. આ એક સામાન્ય માણસની સરકાર છે. કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં શાનદાર કામ કર્યું છે અને અમે પણ તેમના માર્ગ પર ચાલીશું.
'કોંગ્રેસે સામાન્ય માણસને મુખ્યમંત્રી બનાવ્યો', ચરણજીત સિંહ ભાવુક થયા
પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની ચંડીગઢમાં પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ભાવુક થઈ ગયા. ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, કોંગ્રેસે એક સામાન્ય માણસને મુખ્યમંત્રી બનાવ્યો છે. હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. "સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, પાર્ટી સર્વોચ્ચ છે, મુખ્યમંત્રી કે મંત્રીમંડળ નહીં. પંજાબની સરકાર પાર્ટીની વિચારધારા અનુસાર કામ કરશે.
'અમે આંદોલનકારી ખેડૂતોની સાથે મક્કમ ઉભા છીએ'
પંજાબના નવનિયુક્ત મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્રને કૃષિ કાયદાઓ રદ કરવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તેમનો પક્ષ "કાળા" કૃષિ કાયદાઓ સામે આંદોલન કરનારા ખેડૂતો સાથે મક્કમપણે ઉભો છે. તેમણે કહ્યું કે પંજાબ સરકાર ખેડૂતોની સાથે છે. અમે કેન્દ્રને ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા અપીલ કરીએ છીએ. પંજાબ કોંગ્રેસ સરકાર વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
CM ચરણજીત સિંહે કહ્યું - રાહુલ ગાંધી એક ક્રાંતિકારી નેતા
પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે તેઓ પંજાબના સામાન્ય લોકોનો અવાજ હશે અને હંમેશા લોકોની પહોંચમાં રહેશે. ચરણજીત સિંહ ચન્નીએ રાહુલ ગાંધીને 'ક્રાંતિકારી નેતા' ગણાવ્યા છે. ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, રાહુલ ગાંધી એક ક્રાંતિકારી નેતા છે. હું પંજાબ પ્રદેશ કોંગ્રેસ, કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબના લોકોનો આભારી છું. બંને નેતાઓએ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
#WATCH Punjab CM Charanjit Singh Channi gets emotional while addressing his first press conference in Chandigarh says "Congress has made a common man the chief minister." pic.twitter.com/4QNV990OR7
— ANI (@ANI) September 20, 2021