પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના નાના ભાઈ અસીમનુ કોરોનાથી નિધન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનુ શનિવારે કોરોનાના કારણે નિધન થઈ ગયુ.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનુ શનિવારે કોરોનાના કારણે નિધન થઈ ગયુ. જણાવવામાં આવી રહ્યુ છે કે તેઓ છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા હતા. સીએમ મમતાના નાના ભાઈ અસીમ કોલકત્તાની મેડિકા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી એડમિટ હતા જ્યાં શનિવારે તેમનુ નિધન થઈ ગયુ. અસીમનુ દેહાંત કોરોના મહામારીના કારણે થયુ હોવાથી તેમના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકૉલ હેઠળ કરવામાં આવશે.

સુપરસ્પેશિયાલિટી મેડિકા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર આલોક રૉયે જણાવ્યુ કે બંગાળ સીએમ મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનુ શનિવારે 15 મે સવારે હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. ડૉક્ટરે પુષ્ટિ કરી કે અસીમ કોરોના સંક્રમિત મળ્યા હતા અને તેમનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો.












Click it and Unblock the Notifications
