શું છે જમીન સંપાદન ખરડો, કયા મુદ્દાઓ પર ઉઠ્યા વિવાદ
નવી દિલ્હી (વિવેક શુક્લા), શું વિપક્ષ દેશ ભક્ત હોય છે અને સરકાર દેશ દ્રોહી? જમીન સંપાદન ખરડાના કેટલાંક બિંદુઓ પર જે પ્રકારે વિવાદ છેડાયો છે, તેનાથી તો એવું જ લાગે છે. આ સવાલ પર અણ્ણા હઝારેથી લઇને તમામ વિપક્ષી નેતા અને દળો આંદોલન કરી રહ્યા છે.
પરંતુ સરકારે કેટલાંક સવાલોના જવાબ આપવા પડશે. સરકારના ખરડાના સેક્શન 10(એ)માં સંશોધન કર્યું છે. આનાથી સરકાર, કોઇ વ્યક્તિ અથવા કંપનીઓને જમીન સંપાદન કરતા પહેલા 80 ટકા લોકો પાસેથી લીલી ઝંડી મેળવવાની જરૂરીયાત નહીં રહે. તમામ વિરોધી દળો આ બિંદુ પર સરકાર સાથે બે-બે હાથ કરવાના મૂડમાં છે.

તમામ વિરોધીઓ આ બિંદુઓ પર સરકારથી બે-બે હાથ કરવાના મૂડમાં છે. જોકે જમીન સંપાદનનો મુદ્દો સરકાર માટે મોટી પરીક્ષા સાબિત થશે. સંપૂર્ણ વિપક્ષ જમીન સંપાદન ખરડાની વિરુદ્ધ છે.
સંસદના ચાલુ બજેટ સત્રમાં આ ખરડા પર જોરદાર હોબાળો થઇ રહ્યો છે. સરકાર માટે રાજ્યસભામાં સંખ્યાબળ ઓછું હોવાના કારણે તેને પાસ કરાવવું પડી રહ્યું છે. જોકે હવે સરકાર નરમ પડતી દેખાઇ રહી છે. જમીન સંપાદન કાનૂન પર સમજૂતીના સંકેતો દેખાઇ રહ્યા છે. સરકાર વચ્ચેનો માર્ગ કાઢવાની શોધમાં છે. સરકારે જમીન સંપાદન વટહુકમમાં પરિવર્તનના સંકેત આપ્યા છે, અને સરકાર નરમ વલણ અપનાવી ખેડૂતોની સહમતિ વાળી પરિયોજનાઓ વિસ્તાર કરી શકે છે.

જાણકારો અનુસાર, જમીન સંપાદન અને પુનર્વાસ માટે વિધેયકનું જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેના પ્રાવધાનો અનુસાર વળતરની રાશિ શહેરી વિસ્તારમાં નિર્ધારિત બજાર મૂલ્યના બેગણાથી ઓછી ના હોવી જોઇએ. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં આ રાશિ બજાર મૂલ્યના છ ગણાથી ઓછી ના હોવી જોઇએ.
જમીન સંપાદન અને પુનર્વાસના મામલાને સરકાર આવા જમીન સંપાદન પર વિચાર નહી કરે જે ખાનગી પરિયોજનાઓ માટે ખાનગી કંપનીઓ કરવા માંગશે અથવા તો જેમાં સાર્વજનિક પરિયોજનાઓ માટે ફળદ્રુપ જમીન લેવી પડે.

જો આ ખરડો કાયદો બની જાય છે તો ફળદ્રુપ સિંચિત જમીનનું સંપાદન નહીં કરાઇ શકાય. જમીન સંપાદનમાં અરજન્સી પ્રાવધાનની ખૂબ જ ટીકા થઇ છે. આ હેઠળ સરકાર એ કહીને ખેડૂતોની જમીન સુનવણી વગર તુરંત લઇ લે છે કે પરિયોજના તત્કાલ શરૂ કરવી જરૂરી છે.
ડ્રાફ્ટમાં જમીનના માલિકો અને જમીન પર આશ્રિતો માટે એક વિસ્તૃત પુનર્વાસ પેકેજનો ઉલ્લેખ છે. તેમાં એ ભૂમિહીનોને પણ સામેલ કરવામાં આવ્યા છે જેમની રોજી-રોટી અધિગ્રહિત જમીનથી ચાલે છે. આની વચ્ચે અધિગ્રહણના કારણે જીવિકા ગુમાવનારને 12 મહીના માટે પરીવારદીઠ દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઇ છે.

-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
