જ્યારે વરરાજાનું ડાચું જોઈને જ દુલ્હને પાડી દીધી ના, કહ્યું કે...
જ્યારે વરરાજાનું ડાચું જોઈને જ દુલ્હને પાડી દીધી ના, કહ્યું કે...
ઉન્નાવઃ લગ્નની ખુશી કોને ના હોય, સૌકોઈ ખુદના લગ્ન માટે હંમેશાથી અલગ સપના જોતા હોય છે કે મારા લગ્નમાં આવો ઠાઠમાળ કરીશને મારા લગ્નમાં હું આવી તૈયારીઓ કરીશ, એમાં પણ ખાસ કરીને છોકરીઓ માટે લગ્ન એક જિંદગીનો સૌથી મહત્વનો પડાવ હોય છે જ્યાં તે પોતાનું ઘર છોડીને પારકા ઘેર જાય છે. પરંતુ લગ્નના નામે જ્યારે દુલ્હનને જ અંધારામાં રાખવામાં આવે ત્યારે તેના બધા જ સપનાં ચકનાચૂર થઈ જતાં હોય છે. આવો જ એક કિસ્સો યૂપીના ઉન્નાવમાં થયો જ્યાં આગતા-સ્વાગતા દરમિયાન વરરાજો ધડાંગ દઈને નીચે પડી ગયો. વરરાજાનો ચહેરો જોઈને જ દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. બધાએ દુલ્હનને સમજાવવાની બહુ કોશિશ કરી, પરંતુ તે માની જ નહિ. શનિવારે સવારે જાન દુલ્હનને લીધા વિના જ પાછી ફરી ગઈ.

શું છે સમગ્ર મામલો
મામલો ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવતા મનિકાપુર ગામનો છે. મનિકાપુર ગામના શબ્બીર જોગીની દીકરી રોશનીના લગ્ન લખનઉ નિવાસી મોહમ્મદ આફતાબ સાથે નક્કી થયાં હતાં. શુક્રવારે રાત્રે આફતાબ જાન લઈને આવ્યો. જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન વરરાજો અચાનક પડી ગયો.

દુલ્હને ચહેરો જોઈને લગ્ન કરવાની ના પાડી દીધી
વરરાજો પડી જતાં જાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. દુલ્હનને ખબર પડી તો તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. તેણે જોયું કે વરરાજો તેનાથી બેવડી ઉમરનો છે અને સરખી રીતે ચાલી પણ નથી શકતો. જે બાદ દુલ્હને પહેલા પોતાના મા-બાપને વાત જણાવી અને પછી લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. તેણે કહ્યું કે તે આ લગ્ન નહિ કરી શકે.

દુલ્હન વિના જ જાન પાછી ફરી
લગ્નથી ઈનકારની જાણખારી થતા જ લગ્નના માંડવે અફરાતફરીનો માહોલ સર્જાયો. જાનૈયાઓ કન્યા પક્ષના લોકોને સમજાવવાની કોશિશ કરતા રહ્યા, પરંતુ રાતભર મનાવવા બાદ પણ કન્યાએ લગ્ન કરવાની હામી ના ભરી. ત્યારે શનિવારે સવારે જાન દુલ્હન વિના જ પાછી ફરી હતી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ










Click it and Unblock the Notifications
