...ત્યારે મુસ્લિમ બાળકે મોદીના ઘરે લીધો હતો આસરો
નવી દિલ્હી, 8 મેઃ જ્યારે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આઠમા ધોરણમાં ભણતા હતા અને તેઓ એક તળાવમાં સ્વિમિંગ કરી રહ્યાં હતા ત્યારે મગર દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને જેના કારણે તેમના એક પગમાં નવ ટાંકા આવ્યા હતા. આ વાતનો ઉલ્લેખ નરેન્દ્ર મોદીના જીવન પર લખવામાં આવેલા એક પુસ્તક નરેન્દ્ર મોદીઃ ધ ગેમ ચેન્જરમાં નોંધવામાં આવ્યું છે. આ પુસ્તક પત્રકાર સુધેશ કે વર્મા દ્વારા લખવામાં આવ્યું છે. મોદીના ઘરે મુસ્લિમ બાળકે આસરો લીધો હોવાની વાતનો ઉલ્લેખ પણ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
જ્યારે તેઓ બાળક હતા ત્યારે પોતાના પિતાના ચાની દૂકાને સવારમાં કામ કર્યા બાદ તેઓ દરરોજ સવારે વડનગર પાસે આવેલા શર્મિષ્ઠા તળાવે જતા હતા. જ્યાં તેઓ સ્વિમ કરતા હતા, આ તળાવની વચ્ચે એક મંદિર આવેલું છે, જેના ધ્વજને ટચ કરીને તેઓ પરત ફરતા હતા. આ તેમનો નિત્યક્રમ હતો. એક દિવસ તેઓ આ રીતે સ્વિમ કરી રહ્યાં હતા, ત્યારે મગરની પૂંછ તેમના ડાબા પગને વાગી હતી. એ પૂંછ ઘણી મજબૂત હતી અને તેનાથી તેમને ઘણી ઇજા થઇ હતી. ગ્રામવાસીઓ અનુસાર ત્યારે એ તળાવમાં 29 મગર હતા.
જ્યારે મગરે તેમના પર હુમલો કર્યો હતો ત્યારે તેઓ આઠમાં ધોરણમાં હતા. આજે પણ તેમના ડાબા પગ પર એ નિશાન જોવા મળે છે. પરંતુ મોદી ફરીથી એક મહિનાની અંદર એ તળાવમાં સ્વિમ કરવા માટે પહોંચી ગયા હતા. મોદીના જીવન આધારિત આ પુસ્તક 429 પૃષ્ઠનું છે, જેમાં મોદીના જીવન સાથે જાડાયેલી એ તમામ જાણી અજાણી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરો થકી મોદીના જીવન સાથે જાડાયેલીએ વાતો પર નજર ફેરવીએ.

મોદી જ્યારે 14 વર્ષના હતા
મોદી જ્યારે 14 વર્ષના હતા ત્યારે એક જ્યોતિષાચાર્યે કહ્યું હતું કે તેઓ એક સારું જીવન જીવશે. મોદીના મિત્ર મહેન્દ્રભાઇ દરજી અનુસાર જ્યોતિષાચાર્યે કહ્યું હતું કે આ છોકરો કાંતો એક મોટો સંત બનશે અથવા તો પછી મોટો રાજકારિણી બનશે અને વિશ્વ તેમને ઓળખતું થશે.

પૈસાના અભવે ન બની શક્યા સૈનિક
મોદીએ જામનગરમાં આવેલી બાલાછડી સૈનિક સ્કૂલ માટે 2 રૂપિયા એક્ઝામીનેશન ફી ભરી હતી, પરંતુ તેમનું સ્વપ્ન પૂર્ણ થયું નહોતું. તેમના પરિવાર પાસે પૈસાનો અભાવ હતો અને તેથી તેઓ જામનગર જઇ શક્યા નહોતા. તેમના પિતાએ તેમને સ્થાનિક શાળામાં અભ્યાસ પૂર્ણ કરવા કહ્યું હતું.

મોદી રેલવે સ્ટેશને ચા વેચતા
મોદી પોતાના પિતા દ્વારા બનાવવામાં આવેલી ચા વડનગર રેલવે સ્ટેશને વેચતા હતા. સ્પેશિયલ ચાની કિંમત 2 આના અને નોર્મલ ચાની કિંમત 1 આના હતી.

ક્લાસ છોડીને ચા વેચવા સ્ટેશને દોડી જતા
તે સમયે વડનગરમાંથી આઠ પેસેન્જર ટ્રેન પસાર થતી હતી. એ સમય ઘણો જ મહત્વનો હતો. મોદી ક્લાસ છોડીને ચાની દૂકાને પહોચી જતા હતા અને ચા વેચતા હતા. બાદમાં ટ્રેન જતી રહે એટલે તે પાછા ક્લાસરૂમે આવી જતા હતા

ટ્રેનના કમ્પાર્ટમેન્ટ જેવું હતું મોદીનું ઘર
મોદીનું ઘર ટ્રેનના કમ્પાર્ટમેન્ટ જેવું હતું, ઘરમાં પ્લાસ્ટર નહોતું કરવામાં આવ્યું, તેને દરરોજ છાણાથી લીપવામાં આવતું હતું.

પરિવારનો કોઇ સભ્ય મોદીના સીએફ હાઉસે નથી જતો
મોદી પરિવાર સાથે ન્યૂનતમ સંપર્ક ધરાવે છે. પરિવારનો કોઇ સભ્ય ક્યારેય કોઇ કામ માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને જતો નથી.

લગ્નની ફોટોગ્રાફી કરાવવા પૈસા નહોતા
મોદીનો પરિવાર એટલો ગરીબ હતો કે તેમની પાસે ફોટોગ્રાફી કરાવવા પૈસા નહોતા અને તેટલા માટે જ લગ્નની ફોટોગ્રાફી નથી.

માતાએ કહ્યું હતું કે લાંચ ના લેતો
મોદી જ્યારે 2001માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના માતાએ તેમને કહ્યું હતું કે, બેટા ક્યારેલ લાંચ ના લેતો.

મોદીના માતા ઘરકામ કરતા
મોદી જ્યારે યુવા હતા ત્યારે વધુ પૈસા કમાવવા માટે મોદીના માતા ઘરકામ કરતા હતા.

1975માં સીખ રૂપ ધારણ કર્યું
મોદી 1970માં ઘર છોડીને જતા રહ્યાં હતા. 1975માં જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે સીખ રૂપ ધારણ કર્યું હતું, તેની પાછળનું કારણ ઇમરજન્સી દરમિયાન પકડાઇ જવાનો ડર હતો.

મોદીએ અધવચ્ચેથી કોલેજ છોડી દીધી હતી
મોદીએ 1986માં અધવચ્ચેથી કોલેજ છોડી હતી અને બે વર્ષ માટે ફરતા રહ્યાં હતા. એ સમયે તેઓ ઘણા ચિંતનાત્મક અને એકાંતવાસી બની ગયા હતા.

...ને મોદી હિમાલય જતા રહ્યાં
કોલકતા નજીક બેલુર મઠ ખાતે રામકૃષ્ણ મિશન આશ્રમની મુલાકાત લીધા બાદ તેઓ હિમાલય જતા રહ્યાં હતા. ત્યાં તેમણે શું કર્યું અને કોને મળ્યા તે અંગે કોઇ જ માહિતી નથી.

રાજકોટ રામકૃષ્ણ મિશનના સ્વામીએ કહ્યું હતું દાઢી રાખવા
રાજકોટ સ્થિત રામકૃષ્ણ મિશનના સ્વામીએ દાઢી રાખવા માટે કહ્યાં બાદ મોદીએ દાઢી રાખી હતી અને આજ સુધી તેમણે દાઢી કઢાવી નથી.

મગરના બચ્ચાને ઘરે લેતા આવ્યા
એક દિવસ મોદીએ તળાવમાં મગરનું બચ્ચું જોયુ અને તેને ઘરે લેતા આવ્યા પરંતુ માતાએ એ મગરને તળાવમાં પાછું મુકી આવવા કહ્યું હતું.

કપડાં ઇસ્ત્રી કરાવવા પૈસા નહોતા
જ્યારે મોદી પાસે કપડાં ઇસ્ત્રી કરાવવા માટે પૈસા નહોતા ત્યારે તેઓ કપડાંને ઓશિકા નીચે રાત્રે રાખી દેતા હતા, જેથી કપડાં ઇસ્ત્રી કરાવ્યા હોય તેવા થઇ જાય.

મોદી નાટકોમાં ભાગ લેતા
પોતાની અભિનય ક્ષમતાનો ઉપયોગ કરી તે પોતાની સામાજીક જવાબદારીને પ્રમોટ કરતા હતા અને આ માટે તેઓ નાટકમાં ભાગ લેતા હતા.

મોદીનો પહેલો શેરી વિરોધ
1971માં યુએસ એમ્બસીની બહાર જનસંઘના કાર્યકર્તા તરીકે મોદીએ પહેલીવાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ વોશિંગ્ટન દ્વારા પાકિસ્તાનને હથિયાર સહાયના વિરોધમાં હતો.

મોદીએ અમદાવાદ શરૂ કરી હતી કેન્ટીન
જ્યારે મોદી અમદાવાદ આવ્યા ત્યારે તેમણે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ માટે કેન્ટીન શરૂ કરી હતી. જે તેમના મામા દ્વારા ચલાવવામાં આવતી હતી.
મોદીના જીવન પર પુસ્તકના કેટલાક અંશ
મોદી જ્યારે 14 વર્ષના હતા
મોદી જ્યારે 14 વર્ષના હતા ત્યારે એક જ્યોતિષાચાર્યે કહ્યું હતું કે તેઓ એક સારું જીવન જીવશે. મોદીના મિત્ર મહેન્દ્રભાઇ દરજી અનુસાર જ્યોતિષાચાર્યે કહ્યું હતું કે આ છોકરો કાંતો એક મોટો સંત બનશે અથવા તો પછી મોટો રાજકારિણી બનશે અને વિશ્વ તેમને ઓળખતું થશે.
પૈસાના અભવે ન બની શક્યા સૈનિક
મોદીએ જામનગરમાં આવેલી બાલાછડી સૈનિક સ્કૂલ માટે 2 રૂપિયા એક્ઝામીનેશન ફી ભરી હતી, પરંતુ તેમનું સ્વપ્ન પૂર્ણ થયું નહોતું. તેમના પરિવાર પાસે પૈસાનો અભાવ હતો અને તેથી તેઓ જામનગર જઇ શક્યા નહોતા. તેમના પિતાએ તેમને સ્થાનિક શાળામાં અભ્યાસ પૂર્ણ કરવા કહ્યું હતું.
મોદી રેલવે સ્ટેશને ચા વેચતા
મોદી પોતાના પિતા દ્વારા બનાવવામાં આવેલી ચા વડનગર રેલવે સ્ટેશને વેચતા હતા. સ્પેશિયલ ચાની કિંમત 2 આના અને નોર્મલ ચાની કિંમત 1 આના હતી.
ક્લાસ છોડીને ચા વેચવા સ્ટેશને દોડી જતા
તે સમયે વડનગરમાંથી આઠ પેસેન્જર ટ્રેન પસાર થતી હતી. એ સમય ઘણો જ મહત્વનો હતો. મોદી ક્લાસ છોડીને ચાની દૂકાને પહોચી જતા હતા અને ચા વેચતા હતા. બાદમાં ટ્રેન જતી રહે એટલે તે પાછા ક્લાસરૂમે આવી જતા હતા.
મુસ્લિમ બાળકે મોદીના ઘરે લીધો હતો આસરો
મોદીના પિતા દામોદરદાસે એક મુસ્લિમ બાળકને ઘરમાં જગા આપી હતી. અબ્બાસ મહોમ્મદ રામસાડા(મોમિન) એક વર્ષ સુધી મોદીના ઘરે રહ્યો હતો અને મોદી પરિવાર દ્વારા તેને પરિવારના એક ભાગની જેમ રાખવામાં આવ્યો હતો.
ટ્રેનના કમ્પાર્ટમેન્ટ જેવું હતું મોદીનું ઘર
મોદીનું ઘર ટ્રેનના કમ્પાર્ટમેન્ટ જેવું હતું, ઘરમાં પ્લાસ્ટર નહોતું કરવામાં આવ્યું, તેને દરરોજ છાણાથી લીપવામાં આવતું હતું.
પરિવારનો કોઇ સભ્ય મોદીના સીએફ હાઉસે નથી જતો
મોદી પરિવાર સાથે ન્યૂનતમ સંપર્ક ધરાવે છે. પરિવારનો કોઇ સભ્ય ક્યારેય કોઇ કામ માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને જતો નથી.
લગ્નની ફોટોગ્રાફી કરાવવા પૈસા નહોતા
મોદીનો પરિવાર એટલો ગરીબ હતો કે તેમની પાસે ફોટોગ્રાફી કરાવવા પૈસા નહોતા અને તેટલા માટે જ લગ્નની ફોટોગ્રાફી નથી.
માતાએ કહ્યું હતું કે લાંચ ના લેતો
મોદી જ્યારે 2001માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના માતાએ તેમને કહ્યું હતું કે, બેટા ક્યારેલ લાંચ ના લેતો.
મોદીના માતા ઘરકામ કરતા
મોદી જ્યારે યુવા હતા ત્યારે વધુ પૈસા કમાવવા માટે મોદીના માતા ઘરકામ કરતા હતા.
1975માં સીખ રૂપ ધારણ કર્યું
મોદી 1970માં ઘર છોડીને જતા રહ્યાં હતા. 1975માં જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે સીખ રૂપ ધારણ કર્યું હતું, તેની પાછળનું કારણ ઇમરજન્સી દરમિયાન પકડાઇ જવાનો ડર હતો.
મોદીએ અધવચ્ચેથી કોલેજ છોડી દીધી હતી.
મોદીએ 1986માં અધવચ્ચેથી કોલેજ છોડી હતી અને બે વર્ષ માટે ફરતા રહ્યાં હતા. એ સમયે તેઓ ઘણા ચિંતનાત્મક અને એકાંતવાસી બની ગયા હતા.
...ને મોદી હિમાલય જતા રહ્યાં
કોલકતા નજીક બેલુર મઠ ખાતે રામકૃષ્ણ મિશન આશ્રમની મુલાકાત લીધા બાદ તેઓ હિમાલય જતા રહ્યાં હતા. ત્યાં તેમણે શું કર્યું અને કોને મળ્યા તે અંગે કોઇ જ માહિતી નથી.
રાજકોટ રામકૃષ્ણ મિશનના સ્વામીએ કહ્યું હતું દાઢી રાખવા
રાજકોટ સ્થિત રામકૃષ્ણ મિશનના સ્વામીએ દાઢી રાખવા માટે કહ્યાં બાદ મોદીએ દાઢી રાખી હતી અને આજ સુધી તેમણે દાઢી કઢાવી નથી.
ભૂતકાળ ભૂલવા વસ્તુઓ સળગાવી દીધી
મોદીએ વર્ષો સુધી પોતાની સાથે જોડાયેલી વસ્તુઓને સળગાવી દીધી હતી, જેથી તેઓ પોતાના ભૂતકાળથી દૂર થઇ જાય.
મગરના બચ્ચાને ઘરે લેતા આવ્યા
એક દિવસ મોદીએ તળાવમાં મગરનું બચ્ચું જોયુ અને તેને ઘરે લેતા આવ્યા પરંતુ માતાએ એ મગરને તળાવમાં પાછું મુકી આવવા કહ્યું હતું.
કપડાં ઇસ્ત્રી કરાવવા પૈસા નહોતા
જ્યારે મોદી પાસે કપડાં ઇસ્ત્રી કરાવવા માટે પૈસા નહોતા ત્યારે તેઓ કપડાંને ઓશિકા નીચે રાત્રે રાખી દેતા હતા, જેથી કપડાં ઇસ્ત્રી કરાવ્યા હોય તેવા થઇ જાય.
મોદી નાટકોમાં ભાગ લેતા
પોતાની અભિનય ક્ષમતાનો ઉપયોગ કરી તે પોતાની સામાજીક જવાબદારીને પ્રમોટ કરતા હતા અને આ માટે તેઓ નાટકમાં ભાગ લેતા હતા.
મોદીનો પહેલો શેરી વિરોધ
1971માં યુએસ એમ્બસીની બહાર જનસંઘના કાર્યકર્તા તરીકે મોદીએ પહેલીવાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ વોશિંગ્ટન દ્વારા પાકિસ્તાનને હથિયાર સહાયના વિરોધમાં હતો.
મોદીએ અમદાવાદ શરૂ કરી હતી કેન્ટીન
જ્યારે મોદી અમદાવાદ આવ્યા ત્યારે તેમણે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ માટે કેન્ટીન શરૂ કરી હતી. જે તેમના મામા દ્વારા ચલાવવામાં આવતી હતી.
-
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે ભારતમાં સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 7 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IND vs NZ Final: અમદાવાદમાં ફાઈનલ જોવા પહોંચશે PM મોદી? સવા લાખ દર્શકો સાથે વધારશે ટીમનો ઉત્સાહ! -
Petrol Diesel Price: 6 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Delhi Ring Metro: દિલ્હીને મળશે દેશની પ્રથમ રિંગ મેટ્રો, PM મોદી 5 નવા મેટ્રો પ્રોજેક્ટ્સની આપશે ભેટ -
Weather Today: દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત! 12 રાજ્યોમાં લૂનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: આકરી ગરમી માટે રહો તૈયાર, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ








Click it and Unblock the Notifications
