જાણો કોણ છે મનસુખ માંડવિયા, જેમને સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી મળી
જાણો કોણ છે મનસુખ માંડવિયા, જેમને સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી મળી
મનસુખ માંડવિયા દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી હશે. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનના રાજીનામા બાદ મનસુખ માંડવિયાને દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા કેબિનેટ વિસ્તરણમાં ભારે ઉલટફેર થયો છે. વિસ્તરણ પહેલાં 13 મંત્રીઓએ પોતપોતાના પદો પરથી રાજીનામાં આપી દીધું. રાજીનામું આપનારાઓમાં સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન પણ સામેલ હતા. કોરોનકાળમાં મોદી સરકારના મેનેજમેન્ટ પર કેટલાય પ્રકારના સવાલો ઉઠ્યા હતા અને સ્વાસ્થ્ય મંત્રાલય સૌકોઈના નિશાના પર હતું. એવામાં ડૉક્ટર હર્ષવર્ધનની કેન્દ્રીય કેબિનેટથી છૂટ્ટી કરી દેવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવનમાં બુધવારે સાંજે 43 મંત્રીઓએ શપથ લીધા. શપથ ગ્રહણની થોડી કલાકો બાદ જ નિયુક્ત મંત્રીઓના વિભાગની વહેંચણી કરી દેવામાં આવી. મનસુખ માંડવિયાને નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
મનસુખ માંડવિયાનું પ્રમોશન થયું
મનસુખ માંડવિયાને પ્રમોશન મળ્યું છે. કેબિનેટ મંત્રી બનતાં પહેલાં તેઓ મોદી સરકારમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય માટે રાજ્યમંત્રી હતા અને રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી હતા. હવે તેઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બની ગયા છે.
મનસુખ માંડવિયાનો જન્મ ગુજરાતના પાલિતાણા જિલ્લાના હનોલ નામના એક ગામમાં એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે ભાવનગર વિશ્વવિદ્યાલયથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી. તેઓ પોતાની યુવાવસ્થાથી જ રાજનીતિમાં સક્રિય થઈ ગયા અને હવે એબીવીપીના સભ્ય બની ગયા હતા. મનસુખ માંડવિયાની કેબિનેટમાં એન્ટ્રી કરી મોદી સરકારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પાટીદારોને પોતાના તરફ રાખવા પ્રયત્ન કર્યો છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
