કરતારપુર કૉરિડોર મામલે સિદ્ધુની કોઈ ભૂમિકા નથીઃ સુખબીર સિંહ બાદલ
કરતારપુર કૉરિડોર વિકસિત કરવાના સરકારના એલાન પર અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે કહ્યુ કે સિદ્ધુ કોણ છે? સિદ્ધુની આમાં કોઈ ભૂમિકા નથી.
કેબિનેટ મીટિંગમાં કરતારપુર કૉરિડોર અંગે સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુરુ નાનક જયંતિના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે કરતારપુર કૉરિડોર અંગે મંજૂરી આપી દીધી છે. પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા બાદથી જ કરતારપુર સાહિબ કૉરિડોરની ચર્ચાઓ જોરો પર હતી. ત્યારબાદ આજે સરકારે આ મુદ્દે મહત્વનો નિર્ણય લીધો. હવે કરતારપુર કૉરિડોર પર રાજકારણ શરૂ થઈ ગયુ છે. જ્યાં અકાલી દળ આને પોતાની જીત માની રહ્યુ છે ત્યાં લોકો આને નવજોત સિંહ સિદ્ધુની ઉપલબ્ધિ દર્શાવી રહ્યા છે.

કરતારપુર કૉરિડોર વિકસિત કરવાના સરકારના એલાન પર અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ બોલ્યા, 'શીખ સમાજ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. પીએમ મોદી અને કેબિનેટનો આના માટે આભાર. આનો વિકાસ પ્રત્યેક શીખની ઈચ્છા હતી.' કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનને કરતારપુર કૉરિડોર બનાવવા માટે કહ્યુ કે સિદ્ધુ કોણ છે? સિદ્ધુની આમાં કોઈ ભૂમિકા નથી.
તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ થોડા દિવસો પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારંભમાં ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા બાદ સિદ્ધુએ કહ્યુ હતુ કે પાકિસ્તાનના સેનાધ્યક્ષે તેમને જણાવ્યુ કે ગુરુ નાનકદેવના 550માં પ્રકાશોત્સવ પર પાક શ્રી કરતારપુર સાહિબ માર્ગ ખોલવા પર વિચાર કરી રહ્યા છે. જો કે પાકિસ્તાન 2001થી કહેતુ આવ્યુ છે કે જો ભારત પણ ઈચ્છે તો તે આ કૉરિડોરને ખોલી શકે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
