અશોક ગેહલોતની લીક નોટ પર ભાજપે ઉઠાવ્યા સવાલ - 'અશોક ગેહલોતની 'લીક નોટ' પર લખેલ આ SP કોણ છે?'
હવે ભાજપે અશોક ગેહલોતની લીક નોટ પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યુ છે કે નોટ્સમાં આખરે કયા SPનો ઉલ્લેખ છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર નીકળી ગયેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે બે દિવસ પહેલા મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમના હાથમાં એક નોટ પેપર હતુ જેના ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા. અશોક ગેહલોત આ સિક્રેટ નોટને લઈને ગુરુવારે સોનિયા ગાંધીને મળવા પોતાની કારમાંથી જઈ રહ્યા હતા. આ દરમિયાન આ નોટ લીક થઈ ગઈ. હવે ભાજપે અશોક ગેહલોતની લીક નોટ પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યુ છે કે નોટ્સમાં આખરે કયા SPનો ઉલ્લેખ છે. ભાજપે પૂછ્યુ - આ 'એસપી' કોણ છે?
શુક્રવારે વાયરલ થયેલા ફોટાના સ્ક્રીનશૉટને શેર કરીને ભાજપ પ્રવકતા શહજાદ પૂનાવાલાએ ટ્વિટ કર્યુ, 'SP પાર્ટી છોડશે...' અશોક ગેહલોતની 'લીક નોટ'માં કયા એસપીનો ઉલ્લેખ છે, આ એસપી કોણ છે?... તમે પહેલા કોંગ્રેસ જોડો, ભારત તો જોડાયેલુ જ છે જી....' ભાજપ પ્રવકતા શહજાદ પૂનાવાલાએ જે સ્ક્રીનશૉટ શેર કર્યો છે તેમાં લખ્યુ છે, 'SP will leave party'(એટલે કે એસપી પાર્ટી છોડશે)
“SP will leave party”
— Shehzad Jai Hind (@Shehzad_Ind) September 30, 2022
Who is SP that Ashok Gehlot’s “leaked note” ((deliberately visible note)) speaks of ?
Congress Jodo… Bharat to Juda hua hai ji 🙏 pic.twitter.com/ZncFLJf4to
આ SP કોણ છે, જાણો અહીં
સોશિયલ મીડિયા પર લોકોનુ કહેવુ છે કે ગેહલોત પોતાની નોટમાં એસપી એટલે કે સચિન પાયલટની વાત કરી રહ્યા છે. મલયાલમ મનોરમાના મુખ્ય ફોટોગ્રાફર સુરેશે અશોક ગેહલોતની આ નોટનો ફોટો લીધો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે. સેંકડો લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યુ છે કે અશોક ગેહલોત કદાચ સચિન પાયલ સામે ફરિયાદ કરી રહ્યા છે.
મનોરમાએ દાવો કર્યો કે આ સરળતાથી સમજી શકાય એમ છે કે અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે પોતાની મુલાકાત પહેલા અમુક પોઈન્ટ્સ લખી રાખ્યા હતા. એ પોઈન્ટ્સ છે - અશોક ગેહલોતને સચિન પાયલટના 18 સમર્થકોના મુકાબલે 102 ધારાસભ્યોનુ સમર્થન છે. રિપોર્ટમાં કેહવામાં આવ્યુ છે, 'ભાજપે 10થી 50 કરોડની રજૂઆત કરીને ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી હતી.'
અશોક ગેહલોત અને સોનિયા ગાંધી વચ્ચે ગુરુવાર(29 સપ્ટેમ્બર)ના રોજ રાજસ્થાન સંકટ વચ્ચે બેઠક થઈ હતી. આ પહેલા સીએમ અશોક ગેહલોતે ઘોષણા કરી કે તે કોંગ્રેસ રાષ્ટ્રપતિ ચૂંટણી નહિ લડે. પાર્ટીના એક વ્યક્તિના જણાવ્યા મુજબ ગેહલોતના વફાદાર ધારાસભ્યોએ રવિવારે હાઈ કમાન્ડ પર સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી નહિ બનાવવા માટે દબાણ કરવાની કોશિશમાં બળવો કર્યો હતો.