SC-ST પ્રતિનિધિત્વઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એસસી-એસટી માટે નવી પેનલ બનાવવાનું કેમ કહ્યું?
SC-ST પ્રતિનિધિત્વઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નવેસરથી સીમાંકન આયોગની રચવા કરવા જણાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તરીતે નિયુક્ત સમુદાયોના યોગ્ય પ્રતિનિધિત્વ અંગે નિર્દેશ આપ્યો હતો.
સિક્કિમ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાઓમાં પ્રમાણસર પ્રતિનિધિત્વની માંગ કરતી અરજી પર કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. અરજીકર્તા મુજબ લિમ્બુ અને તમંગ આદિવાસી સમુદાયના નેતાઓનોને વિધાનસભામાં પૂરતી જગ્યા મળવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સરકાર કે સંસદને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે સુધારો કરવા કે કાયદો બનાવવાના નિર્દેશ ના આપી શકાય. આમ કરવુ વિધાનસભાના અધિકારક્ષેત્રમાં દખલ સમાન ગણાશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચે પોતાના આદેશમાં કહ્યું કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારે એક નવા સીમાંકન આયોગની રચના કરવી પડશે.
સંસદ દ્વારા પસાર કરાયેલ કોઈપણ કાયદો અથવા જોગવાઈ ગેરબંધારણીય છે કે નહીં તેની ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે છે, પરંતુ આ કિસ્સામાં "આ અદાલત મર્યાદાથી આગળ વધશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વધારાની સીટ આપવી પડશે, જેના માટે સીમાંકન કાયદા હેઠળ સત્તાનો ઉપયોગ કરવાની જરૂર પડશે.
કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળ રાજ્યના સંદર્ભમાં ECI દ્વારા સબમિટ કરાયેલ પ્રથમ દૃષ્ટિએ, વ્યાપકપણે એવું લાગે છે કે અનુસૂચિત જનજાતિ માટે પ્રમાણસર પ્રતિનિધિત્વના સિદ્ધાંતને સમાવવા માટે રાજ્ય વિધાનસભામાં એક વધારાની બેઠક ઉપલબ્ધ હોવી જોઈએ.
ઉપરોક્ત સંજોગોમાં કલમ 332 અને 333 હેઠળની જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ થાય તેની ખાતરી કરવા માટે સીમાંકન અધિનિયમ 2002 હેઠળ સત્તાનો આશરો લેવો અત્યંત જરૂરી બને છે. આ ઉપરાંત, આ કાયદામાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા અને વિધાનસભા ધરાવતા દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના વિભાજનમાં પણ ફેરફાર કરવાની જોગવાઈ છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટ કર્યું કે તેના નિર્ણયને સંસદ કે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ તરીકે જોવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, ચૂંટણી એ વ્યાપક જનાદેશ છે. તે સમયસર પૂર્ણ થવું જોઈએ. કોર્ટે કહ્યું કે 2018માં ગૃહ મંત્રાલયે સિક્કિમ વિધાનસભામાં સીટોની સંખ્યા 32થી વધારીને 40 કરવાની કવાયત શરૂ કરી હતી જેથી બંને જાતિઓને અનામત આપી શકાય. જોકે તેમાં કહેવામાં આવ્યુ છે કે ત્યારપછી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
-
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
