For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રી સ્પષ્ટ કેમ નથી કહેતા કે અમે એનઆરસી લાગુ નહી કરીયે: પી.ચિદમ્બરમ

કોંગ્રેસના સાંસદ પી.ચિદમ્બરમે કહ્યું છે કે સરકાર નાગરિકત્વ કાયદો, એનઆરસી અને એનપીઆરને લઈને દેશની જનતાને ગેરમાર્ગે દોરવામાં વ્યસ્ત છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ ક્યારેક એમ કહ

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના સાંસદ પી.ચિદમ્બરમે કહ્યું છે કે સરકાર નાગરિકત્વ કાયદો, એનઆરસી અને એનપીઆરને લઈને દેશની જનતાને ગેરમાર્ગે દોરવામાં વ્યસ્ત છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ ક્યારેક એમ કહેતા હોય છે કે સીએએ અને એનસીઆર અથવા તો ક્યારેક એનપીઆર અને એનઆરસી વચ્ચે કોઈ જોડાણ નથી, શા માટે તેમણે સ્પષ્ટ કહ્યું નહીં કે અમે એનપીઆર કરી રહ્યા છીએ પરંતુ અમે એનઆરસી કરીશું નહીં. તેઓએ સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે એનઆરસીને ખારીજ કરવામાં આવી છે.

P chidambaram

ચિદમ્બરમે કહ્યું, સરકારે જણાવવું જોઈએ કે અમને આસામમાં એનઆરસીનો ખૂબ જ કડવો અનુભવ છે. તેથી, તે કરી શકાતું નથી. આસામમાં એનઆરસી દ્વારા 19 લાખ લોકોને બેઘર બનાવવામાં આવ્યા હતા તેનાથી મોટો કોઇ કડવો અનુભવ નથી.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એનપીઆર - એનઆરસી સાથે ખૂબ સ્પષ્ટ રીતે સંકળાયેલ છે. એનઆરસી, એનપીઆર અને નાગરિકત્વ કાયદો એ બધા જ સિક્કાના જુદા જુદા પાસા છે. ઓળખો અને એનપીઆર અને એનઆરસી દ્વારા બાકાત કરાશે. સીએએ દ્વારા સમાવિષ્ટ કરવામાં આવશે.

ચિદમ્બરમે કહ્યું કે એ વાત સાચી છે કે અમારી સરકારે એનપીઆર હાથ ધરવાની યોજના લાવી હતી, પરંતુ તે તેનાથી જુદી હતી. અમે લોકોને 15 પ્રશ્નો પૂછવાના હતા. હવે 6 વધુ વસ્તુઓ ઉમેરવામાં આવી છે. હવે તમારું નિવાસ સ્થાન, તમારા પિતા અને માતાનું જન્મ સ્થળ, તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર, મતદાર ID અને આધાર પણ પૂછવામાં આવી રહ્યા છે, આ પ્રશ્નો કેમ પૂછવામાં આવે છે.

આ પણ વાંચો: ભલે પતિથી ગમે એટલો પ્રેમ કેમ ના હોય પત્નીઓ તેમને ક્યારેય નહિ કહે આ 7 રાઝ

English summary
Why the Home Minister did not say clearly, we will not do NRC: P. Chidambaram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X