UP નિવાસી કેજરીવાલને દિલ્હીનું મતદાર કાર્ડ શા માટે?
દિલ્હી, 15 જાન્યુઆરી : દિલ્હીની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલની મુસીબતો પણ વધી રહી છે. વિવાદોમાં ઘેરાયેલા અરવિંદ કેજરીવાલ સામે હવે કોઇ રાજકીય પક્ષ નહીં પણ એક એનજીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ એનજીઓએ ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના રહેવાસી નથી, આ કારણે તેમને દિલ્હીનું વોટર કાર્ડ આપવામાં ના આવે.
આ એનજીઓનું નામ મૌલિક ભારત મિશન છે. તેણે ચીફ ઇલેક્શન કમિશનરને પત્ર લખીને અરજી કરી છે કે કેજરીવાલને બી કે દત્ત કોલોનીમાંથી વોટર આઇડી કાર્ડ આપવામાં ના આવે.

નોંધનીય છે કે 13 જાન્યુઆરી, 2015ના રોજ ચીફ ઇલેક્શન કમિશનરને લખેલા પત્રમાં એનજીઓએ એ અરજીને પડકારી છે, જેમાં કેજરીવાલે પોતાનું એડ્રેસ તિલક માર્ગથી બદલીને બી કે દત્ત કોલોની કરવાની માંગ કરી છે. નોંધનીય ચે કે કેટલાક દિવસો પહેલા આમ આદમી પાર્ટીએ કેજરીવાલનું એડ્રેસ તિલક માર્ગથી બદલીને રફી માર્ગ પર વિઠ્ઠલભાઇ પટેલ હોઉસ કરવાની અરજી કરી હતી, પણ પાછળથી તે અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.
આ ઘટનાક્રમ પર દિલ્હી ભાજપના મીડિયા સંયોજક પ્રવીણ શંકર કપૂરે કેજરીવાલ પર શાબ્દિક હુમલો કરતા જણાવ્યું છે કે 'આ બેવડાં ધોરણોછે. કેજરીવાલને સુરક્ષા ગાઝિયાબાદ પોલીસ આપે છે, જ્યારે તે પોતાને દિલ્હી નિવાસી ગણાવે છે. આ કેવી રીતે સંભવ છે?'
એનજીઓના સભ્યોનું કહેવું છે કે અમે ગાઝિયાબોદ પોલીસમાં કરેલી આરટીઆઇ દ્વારા જાણ્યું છે કે કેજરીવાલ કૌશંબીના રહેવાસી છે. અમારી પાસે એવા ઘણા પુરાવાઓ છે. જેના આધારે 9 જાન્યુઆરીએ ચૂંટણી પંચે કેજરીવાલની અરજી નકારી હતી. આ અરજી પણ નકારી દેશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
