દેશના પૈસા લઈને ભાગેલા ભાગેડુઓને ભારત લાવવામાં આવશેઃ રાજનાથ સિંહ
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યુ કે ભારતના પૈસા લઈને ભાગનારા ભાગેડુઓને ભારત પાછા લાવવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યુ કે ભારતના પૈસા લઈને ભાગનારા ભાગેડુઓને ભારત પાછા લાવવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યુ કે તે લોકોને આર્થિક ભાગેડુ કાયદા હેઠળ ભારત પાછા લાવવામાં આવશે. ગૃહમંત્રીએ લખનઉમાં રેલવે પ્રાદેશિક પ્રાઈમરી સહકારી બેંકના સો વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમમાં કહ્યુ કે પૈસા લઈને વિદેશ ભાગનારા ભાગેડુઓને ભારત પાછા આવવુ જ પડશે. તેમણે કહ્યુ કે તેમની બધી સંપત્તિ પણ જપ્ત કરવમાં આવશે.
આ પણ વાંચોઃ પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે બન્યા શ્રીલંકાના નવા વડાપ્રધાન
જે પણ પૈસા લઈને ભાગ્યા છે જનતાના પૈસા છે.
લખનઉમાં ગૃહમંત્રીએ કહ્યુ, ‘જો લોકો દેશનમાં પૈસા લઈને ભાગ્યા છે, અમે તેમની સામે પહેલેથી જ વટહુકમ લાવીને આર્થિક ભાગેડુ ગુનેગાર બિલ પાસ કરી દીધુ છે. હું સુનિશ્ચિત કરવા ઈચ્છુ છુ કે જે પણ દેશ પૈસા લઈને ભાગ્યા છે તેમને પાછા લાવવામાં આવશે અને તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.' રાજનાથ સિંહે કહ્યુ કે જે પણ પૈસા લઈને ભાગ્યા છે જનતાના પૈસા છે.
દેશના કરોડો રૂપિયા લઈને ફરાર
આર્થિક ભાગેડુ ગુનેગાર બિલ આ વર્ષે જુલાઈમાં સંસદમાં પાસ થયુ હતુ. આ બિલ મુજબ જે પણ દેશના પૈસા લઈને વિદેશ ભાગ્યા છે તે ભગોડાઓની સંપત્તિ જપ્ત થવી જોઈએ અને કાયદાકીય કાર્યવાહી હેઠળ સરકાર તેમને ભારત પ્રત્યાર્પણ કરશે. નીરવ મોદી, મેહુલ ચોક્સી અને દારૂનો વેપારી વિજય માલ્યા દેશના કરોડો રૂપિયા લઈને ફરાર છે.
કોંગ્રેસ પાસે જનહિતના કોઈ મુદ્દા નથી
કોંગ્રેસ પર હુમલો કરતા રાજનાથ સિંહે કહ્યુ કોંગ્રેસ પાસે જનહિતના કોઈ મુદ્દા નથી એટલા માટે આ પ્રકારના બિનજરૂરી મુદ્દા ઉઠાવી રહી છે. કોંગ્રેસ સીબીઆઈને જે મામલે હલ્લો કરી રહી છે તેની તપાસ થઈ રહી છે.
આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશમાં હાર્દિકે દેખાડી પોતાની તાકાત, કોંગ્રેસ પાસે માંગી 12 સીટ