For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ફ્રી સ્કિમ બંધ થઇ જશે? રાજ્યોની હાલત ખરાબ હાલત વિશે વડાપ્રધાને આપી અપડેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં, કેટલાક અધિકારીઓએ ઘણા રાજ્યો દ્વારા જાહેર કરાયેલી લોકપ્રિય યોજનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં, કેટલાક અધિકારીઓએ ઘણા રાજ્યો દ્વારા જાહેર કરાયેલી લોકપ્રિય યોજનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે, તે આર્થિક રીતે સક્ષમ નથી અને તેમને શ્રીલંકાના માર્ગ પર લઈ જઈ શકે છે.

વડાપ્રધાન મોદી સાથે 4 કલાક સુધી મુલાકાત ચાલી

વડાપ્રધાન મોદી સાથે 4 કલાક સુધી મુલાકાત ચાલી

PM મોદીએ શનિવારના રોજ તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ પર તમામ વિભાગોના સચિવો સાથે ચાર કલાક લાંબી બેઠક યોજી હતી. રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અજીત ડોભાલ, વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબા ઉપરાંત કેન્દ્ર સરકારના અન્ય ટોચના અધિકારીઓ પણ બેઠકમાંહાજર રહ્યા હતા.

એક મોટા દ્રષ્ટિકરણ અપનાવો

એક મોટા દ્રષ્ટિકરણ અપનાવો

સૂત્રોએ જણાવ્યું કે, મીટિંગ દરમિયાન વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સ્પષ્ટપણે ખામીઓનું સંચાલન કરવાની માનસિકતામાંથી બહાર નીકળવા અને અતિરેકનુંસંચાલન કરવાના નવા પડકારનો સામનો કરવા જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ તેમને મોટી વિકાસ યોજનાઓ હાથ ન લેવાના બહાના તરીકે 'ગરીબી'ને ટાંકવાનીજૂની વાર્તા છોડી દેવા અને મોટો અભિગમ અપનાવવા જણાવ્યું હતું.

એક ટીમ તરીકે કામ કરવું જોઈએ

એક ટીમ તરીકે કામ કરવું જોઈએ

કોવિડ 19 રોગચાળા દરમિયાન સચિવોએ એક ટીમ તરીકે જે રીતે કામ કર્યું તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેઓએ ભારત સરકારના સચિવતરીકે કામ કરવું જોઈએ, માત્ર પોતપોતાના વિભાગોના સચિવો તરીકે નહીં. અને તેઓએ એક ટીમ તરીકે કામ કરવું જોઈએ.

તેમણે સચિવોને પ્રતિસાદ આપવા અને સરકારની નીતિઓમાં રહેલી છટકબારીઓને દૂર કરવા માટેના સૂચનો આપવા પણ કહ્યું, જેમાં તેમના સંબંધિત મંત્રાલયો સાથે સંબંધિત નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે 24 થી વધુ સચિવોએ વડાપ્રધાન મોદીને તેમના વિચારો પહોંચાડ્યા હતા.

2014 બાદ સચિવો સાથે વડાપ્રધાને નવમી બેઠક યોજી

2014 બાદ સચિવો સાથે વડાપ્રધાને નવમી બેઠક યોજી

ઉલ્લેખીય છે કે, 2014 થી સચિવો સાથે વડાપ્રધાનની આ નવમી બેઠક હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, બે સચિવોએ આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા રાજ્યમાંતાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં જાહેર કરાયેલી લોકપ્રિય યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે અન્ય રાજ્યોમાં પણ સમાન યોજનાઓ ટાંકીને કહ્યું કે તે આર્થિક રીતેટકાઉ નથી અને તે રાજ્યોને શ્રીલંકાના માર્ગ પર લઈ જઈ શકે છે.

લોકોને ઈંધણ, રાંધણગેસ માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે

લોકોને ઈંધણ, રાંધણગેસ માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે

શ્રીલંકા હાલમાં ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકોને ઈંધણ, રાંધણગેસ માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે, જીવનજરૂરી વસ્તુઓનોપુરવઠો ઓછો છે.

તેમજ અઠવાડિયા સુધી લાંબા સમય સુધી વીજકાપના કારણે લોકો પરેશાન છે. આવી બેઠકો ઉપરાંત, વડાપ્રધાન મોદીએ ગવર્નન્સમાં એકંદરસુધારણા માટે નવા વિચારો સૂચવવા માટે સચિવોના 6 પ્રાદેશિક જૂથોની પણ રચના કરી છે.

English summary
Will the free scheme be discontinued? Update given to the Prime Minister about the bad condition of the states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X