વિંગ કમાન્ડર પૃથ્વી સિંહની ગણતરી IAFના બહાદુર ફાઇટર પાઇલટ્સમાં થતી હતી!
તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત સાથે આગરાના વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ પણ શહીદ થયા છે. પૃથ્વી સિંહ ચૌહાણ દયાલબાગના સરન નગરના રહેવાસી હતા.
આગ્રા, 09 ડિસેમ્બર : તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત સાથે આગરાના વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ પણ શહીદ થયા છે. પૃથ્વી સિંહ ચૌહાણ દયાલબાગના સરન નગરના રહેવાસી હતા. વિંગ કમાન્ડરની શહાદતના સમાચાર મળતા જ લોકો તેમના ઘરે એકઠા થઈ ગયા હતા. પરિવારના સભ્યોની હાલત ખરાબ છે. MI-17 હેલિકોપ્ટર ઉડાવવામાં વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણની કાર્યક્ષમતા અંગે વાયુસેનાના અધિકારીઓને પણ વિશ્વાસ હતો. રિપોર્ટ અનુસાર, સૂડાનમાં સ્પેશિયલ ટ્રેનિંગ લીધા બાદ પૃથ્વીની ગણતરી વાયુસેનાના બહાદુર ફાઇટર પાઇલટ્સમાં થવા લાગી હતી.
પૃથ્વી સિંહ ચૌહાણ 2000માં એરફોર્સમાં જોડાયા હતા
વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ સુરેન્દ્ર સિંહના એકમાત્ર પુત્ર હતા. બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં તે CDS બિપિન રાવતની સાથે હતા. પૃથ્વી સિંહ 4 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા. તેઓ 42 વર્ષના હતા અને સૈનિક સ્કૂલ રીવામાં ધોરણ 6માં એડમિશન બાદ તેની પસંદગી NDAમાં થઈ. વર્ષ 2000માં પૃથ્વી સિંહ એરફોર્સમાં જોડાયા હતા. હાલમાં તેઓ કોઈમ્બતુર નજીકના એરફોર્સ સ્ટેશનમાં પોસ્ટેડ હતા. પૃથ્વીના લગ્ન વૃંદાવનની રહેવાસી કામિની સાથે 2007માં થયા હતા. તેમને 12 વર્ષની દીકરી આરાધ્યા અને 9 વર્ષનો દીકરો છે.
તેમની ગણતરી બહાદુર ફાઇટર પાઇલટ્સમાં થતી હતી
વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણની એરફોર્સમાં જોડાયા બાદ પહેલી પોસ્ટિંગ હૈદરાબાદમાં થઈ હતી. આ પછી તેમને ગોરખપુર, ગુવાહાટી, ઉધમ સિંહ નગર, જામનગર, આંદામાન અને નિકોબાર અને અન્ય એરફોર્સ સ્ટેશન પર પોસ્ટિંગ કરવામાં આવ્યા હતા. પૃથ્વીને પણ એક વર્ષની વિશેષ તાલીમ માટે સૂડાન મોકલવામાં આવ્યા હતા. તેઓ MI-17 હેલિકોપ્ટર ઉડાવવામાં નિષ્ણાત હતા. એરફોર્સના અધિકારીઓ પણ પૃથ્વીસિંહ ચૌહાણની કાર્યક્ષમતાથી માની ગયા હતા. સૂડાનમાં ટ્રેનિંગ લીધા બાદ પૃથ્વીની ગણતરી વાયુસેનાના બહાદુર ફાઈટર પાઈલટોમાં થતી હતી.
માતા-પિતાના આંસુ રોકાતા નથી
વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણના શહીદ થયા સમાચાર મળતાં જ સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. માતા સુશીલા ચૌહાણ અને પિતા સુરેન્દ્ર સિંહ ચૌહાણની હાલત ખરાબ છે. પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર કોઈમ્બતુર નજીક એરફોર્સ સ્ટેશન પર પોસ્ટેડ હતો. બુધવારે બપોરે હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર તેમને પુત્રી શકુંતલાએ આપ્યા હતા. તેણે ફોન કર્યો ત્યારે ફોન સ્વીચ ઓફ હતો. આ અંગે પુત્રવધૂ કામિનીનો સંપર્ક કર્યો. પુત્રવધૂએ આ કરુણ અકસ્માતની જાણકારી આપી.