મોદીની તાજપોશીને જોતાં ભાજપમાં આવવા માટે રેડી થયા યેદિયુરપ્પા
બેંગ્લોર, 14 સપ્ટેમ્બર: ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા બીએસ યેદિયુરપ્પાએ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદની તાજપોશી જોતાં ફરીથી ભાજપમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. જેની પહેલાંથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ પણ તેમને મનાવવાના સંકેત આપ્યા હતા. નરેન્દ્ર મોદીના નામની જાહેરાત બાદ તાત્કાલિક જ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે 'અમે 18 અને 19 સપ્ટેમ્બરના રોજ અમારી પાર્ટી (કર્ણાટક જનતા પાર્ટી)ના વરિષ્ઠ નેતાઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ નિર્ણય લઇશું.
કર્ણાટકમાં ભાજપની પહેલી સરકાર સાથે મુખ્યમંત્રી યેદુરિરપ્પાએ કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદીના મનોનયનનું સ્વાગત કરે છે અને તે એનડીએની મજબૂતી માટે કામ કરશે. ખનન કૌભાંડના આરોપોને લઇને યેદિયુરપ્પાને જુલાઇ 2011માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું હતું.

ભાજપે યેદિયુરપ્પાના નેતૃત્વમાં દક્ષિણ ભારતમાં ખાતું ખોલ્યું હતું અને હવે તેમનું ભાજપમાં પુનરાગમન થાય છે તો પાર્ટી દક્ષિણમાં ગુમાવેલ જનાધાર મળી શકે છે.
નરેન્દ્ર મોદીની તાજપોશી બાદ ભાજપ માટે આ એક સારા સમાચાર છે પરંતુ પાર્ટીની સૌથી મોટી મુશ્કેલી તેમના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી બની ગયા છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
