બાબા સાહેબનું નામ બદલાયું, હવે ભીમરાવ "રામજી" આંબેડકર થશે
યોગી આદિત્યનાથ સરકારે હવેથી તેના તમામ રાજકીય નોંધોમાં સંવિધાનના નિર્માતા તેવા ભીમરાવ આંબેડકરના નામ સાથે રામ જી જોડશે.આ નિર્ણય પાછળ મહત્વનું કારણ શુ છે. જાણો અહીં.
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નિર્ણય લીધો છે કે તે તમામ રાજકીય નોંધોમાં સંવિધાનના નિર્માતા તેવા ભીમરાવ આંબેડકરના નામ સાથે રામ જી જોડશે. યોગી સરકારે બુધવારે તેના તમામ વિભાગો અને ઇલ્લાહબાદની તમામ કોર્ટ બેંચોને આ આદેશ આપ્યો છે કે તે હવેથી તેમની નોંધોમાં ડોક્ટર ભીમરાવ અંબેડકરની જગ્યાએ ડોક્ટર ભીમરાવ રામજી અંબેડકર જેવી જોડણીનો ઉપયોગ કરી લખે. યોગી સરકારના આ નિર્ણય પાછળ મહત્વનું કારણ તે છે કે સંવિધાનના પેજ પર બાબા સાહેબની જે સહી છે તે ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરના નામે છે.

બાબા સાહેબનું નામ
બાબા સાહેબ ડોક્ટર ભીમરાજ અંબેડકર મહાસભાના નિર્દેશક ડોક્ટર લાલજી પ્રસાદ નિર્મલે જણાવ્યું કે આ અભિયાનને 2017માં રાજ્યપાલ રામ નાઇકે શરૂ કર્યું હતું. રામ નાઇકે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મહાસભામાં પત્ર લખીને આંબેડકરના નામનું સાચું ઉચ્ચારણ અને સાચી રીતે લખવાની વાતે ધ્યાન આપી આ મુજબ કરવા અપીલ કરી હતી.

સ્પેલિંગમાં ભૂલ
લાલજી પ્રસાદે સાથે તેમ પણ કહ્યું હતું કે અંગ્રેજીમાં તેમના નામનો સ્પેલિંગ સાચો નથી. અને તેમના નામનું યોગ્ય ઉચ્ચારણ પણ નથી થતું. ઉલ્લેખનીય છે કે રામજી અંબેડકરના પિતાનું નામ છે. અને પરંપરા મુજબ પહેલા પુત્રનું નામ અને મધ્યમાં પિતાનું નામ તેમ લખવામાં આવે છે. જે પછી બુધવારે આ મામલે શાસનઆદેશ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

વિશ્વવિદ્યાલયે પણ નામ બદલ્યું
તમને જણાવી દઇએ કે આગ્રામાં આવેલ ડોક્ટર ભીમરાવ અંબેડકર વિશ્વવિદ્યાલય પહેલા જ આ મુજબ પોતાનું નામ બદલી ચૂક્યો છે. અને તેમના નામને બદલવાના નિર્દેશ પણ પહેલા જાહેર કરી ચૂક્યો છે. જો કે નોંધનીય છે કે તે લોકોએ તેની જોડણી ઠીક કરી છે. અંબેડકરના બદલે આંબેડકર કરવામાં આવ્યું છે. પણ અહીં રામજી શબ્દ નથી જોડવામાં આવ્યો.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ












Click it and Unblock the Notifications
