બજરંગબલીને દલિત કહેવા પર ભડક્યો બ્રાહ્મણ સમાજ, 3 દિવસમાં માફી માંગવાનું અલ્ટીમેટમ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે રીતે ભગવાના બજરંગબલીને દલિત ગણાવ્યા હતા ત્યારબાદ ઘણા હિંદુ સંગઠનોને આદિત્યનાથનું આ નિવેદન પચી નથી રહ્યુ.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે રીતે ભગવાના બજરંગબલીને દલિત ગણાવ્યા હતા ત્યારબાદ ઘણા હિંદુ સંગઠનોને આદિત્યનાથનું આ નિવેદન પચી નથી રહ્યુ. રાજસ્થાનના સર્વ બ્રાહ્મણ સમાજે યોગી આદિત્યનાથ સામે નોટિસ મોકલી છે. આ નોટિસમાં યોગી આદિત્યનાથને માફી માંગવા માટે કહેવામાં આવ્યુ છે. મહત્વની વાત એ છે કે યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત કહ્યા હતા અને કહ્યુ હતુ કે જે રામભક્ત છે તે ભાજપને મત આપશે જ્યારે રાવણ ભક્ત કોંગ્રેસને મત આપશે.

સર્વ બ્રાહ્મણ સમાજનું કહેવુ છે કે બજરંગબલી ના તો દલિત હતા, ના વંચિત અને ના લોકદેવતા. યોગી આદિત્યનાથે પોતાના આ નિવેદન પર માફી માંગવી જોઈએ. સમાજના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ પોતાના વકીલ દ્વારા યોગી આદિત્યનાથને નોટિસ મોકલી છે અને તેમને માંગવા માટે કહ્યુ છે. એટલુ જ નહિ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે જો યોગી આદિત્યનાથ પોતાના નિવેદન માટે ત્રણ દિવસની અંદર માફી નહિ માંગે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, 'ભગવાન હનુમાન એક એવા લોકદેવતા છે જે હવે સ્વય વનવાસી છે, ગિરવાસી છે, દલિત છે, વંચિત છે. સમગ્ર ભારતીય સમાજને ઉત્તરથી લઈ દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી બધાને જોડવાનું કામ બજરંગબલી કરે છે. એટલા માટે બજરગબલીનો સંકલ્પ હોવો જોઈએ.' યોગીએ કહ્યુ કે રામના જે ભક્ત છે તે ભારતીય જનતા પાર્ટીને મત આપે. જે રાવણના ભક્ત છે તે જ કોંગ્રેસને મત આપે છે. વળી, તેમણે કહ્યુ કે રામ રાજ્ય જોઈએ તો ભાજપને જ મત આપો.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
