યુવરાજને પદ્મ શ્રી, કમલ તથા પરેશને પદ્મ વિભૂષણ : 126ને મળશે પદ્મ પુરસ્કાર
નવી દિલ્હી, 25 જાન્યુઆરી : ટીમ ઇન્ડિયાના ધાકડ બૅટ્સમૅન યુવરાજ સિંહ સહિત ભારતના 126 લોકોને પદ્મ ઍવૉર્ડથી સન્માનવામાં આવશે. યુવરાજને પદ્મ શ્રી, અભિનેતા કમલ હસન અને પરેશ રાવલને પદ્મ વિભૂષણ વડે સન્માનવામાં આવશે.

ઉપરાંત દિલ્હી ગૅંગ રેપ બાદ રેપ કાનૂનમાં પરિવરત્ન કરનાર જસ્ટિસ જે એસ વર્માને મરણોપરાંત આ પુરસ્કાર વડે સન્માનવામાં આવશે. લેખક નરેન્દ્ર અચ્યુત દાભોલકર તથા યૂપીએસસીના ભૂતપૂર્વ સભ્ય પ્રવીણ તલ્હાને પણ આ પુરસ્કાર આપવામાં આવશે. આ વખતે પદ્મ સન્માન પામનારાઓમાં 26 મહિલાઓ છે. ભારતનું આ શ્રેષ્ઠ નાગરિક સન્માન છે કે જે પદ્મ શ્રી, પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ શ્રેણીઓમાં આપવામાં આવે છે. તેની જાહેરાત પ્રજાસત્તાક દિવસ પ્રસંગે કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
