કાનપુરમાં ઝીકા વાયરસનો આતંક, શહેરના ચકેરી વિસ્તારમાં 79 કેસ નોંધાયા!
ઉત્તર પ્રદેશના કાનપુરના ચકેરી વિસ્તારમાં 23 ઓક્ટોબરે ઝિકા વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો. ભારતીય વાયુસેનાના અધિકારીને ચેપ લાગ્યો હતો. ચકેરી વિસ્તારમાં મચ્છરો દ્વારા ફેલાતો ઝિકા વાયરસ ફેલાઈ ગયો છે.
કાનપુર, 6 નવેમ્બર : ઉત્તર પ્રદેશના કાનપુરના ચકેરી વિસ્તારમાં 23 ઓક્ટોબરે ઝિકા વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો. ભારતીય વાયુસેનાના અધિકારીને ચેપ લાગ્યો હતો. ચકેરી વિસ્તારમાં મચ્છરો દ્વારા ફેલાતો ઝિકા વાયરસ ફેલાઈ ગયો છે. આરોગ્ય વિભાગ ચકેરીની આસપાસના વિસ્તારમાં લોકોની તપાસ કરી રહ્યું છે. શનિવારે ઝિકા વાયરસથી સંક્રમિત 13 દર્દીઓ મળી આવ્યા હતા. કાનપુરમાં અત્યાર સુધીમાં 79 દર્દીઓ આ બીમારીથી પીડિત જોવા મળ્યા છે. આ સંક્રમિતોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગ સઘન બનાવ્યું છે અને વધુને વધુ લોકોના સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે.

ઝીકા વાયરસ અંગે અપડેટ આપતા કાનપુરના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. નેપાલ સિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જિલ્લામાં ઝિકા વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 79 થઈ ગઈ છે. જ્યાં પહેલો દર્દી મળ્યો હતો તેના 400 મીટરમાં અંદર અત્યાર સુધીમાં તમામ લોકો સંક્રમિતો મળી આવ્યા છે. ડૉક્ટર નેપાલ સિંહે કહ્યું કે અન્ય સંક્રમિત લોકોને ટ્રેસ કરવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમ બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે 79 દર્દીઓમાંથી કોઈની હાલત ગંભીર નથી પરંતુ ડોકટરો તેમના પર નજર રાખી રહ્યા છે.
કાનપુર પ્રશાસન પણ ઝિકા વાયરસના ફેલાવાને રોકવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ચકેરી વિસ્તારના હરજેન્દર નગર, એરફોર્સ કોમ્પ્લેક્સ, પોખરપુર, લાલકુર્તી, મોતીનગર, અશરફાબાદ અને આદર્શનગર સહિત કેટલાક અન્ય વિસ્તારોમાં ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા છે. પ્રથમ વાયરસનો કેસ એરફોર્સ સેન્ટરમાં જોવા મળ્યો હતો, જેની આસપાસના વિસ્તારોમાંથી લોકોના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે. ડીએમ વિશાખ જી અય્યરે આ વિશે જણાવ્યું કે, આરોગ્ય વિભાગના અધિકારીઓને ઘરે-ઘરે જઈને સેમ્પલ લેવા સૂચના આપવામાં આવી છે.
ડીએમ વિશાખ જી અય્યરે કહ્યું કે, મચ્છરોનો નાશ કરવા અભિયાન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથેની બેઠકમાં ઝીકા વાયરસ અને ડેન્ગ્યુને કાબૂમાં લેવા માટે સૂચનાઓ આપી છે. તેમણે કહ્યું કે દરેક દર્દીના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવે, તેમજ ચેપગ્રસ્ત દર્દીઓની વહેલાસર તપાસ અને સારવાર સર્વેલન્સ દ્વારા થાય. મુખ્યમંત્રીએ સ્વચ્છતા, સેનિટાઈઝેશન અને ફોગિંગની કામગીરી ચાલુ રાખવા સૂચના પણ આપી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી



Click it and Unblock the Notifications
