પતિએ છોડી દેતા પત્નીએ 3 સંતાનો સાથે કૂવામાં પડતુ મૂક્યુ, ત્રણે બાળકોના મોત
ધ્રોલના ખંભાળીયા ગામે 25 વર્ષની યુવતીને તેનો પતિ છોડીને મધ્ય પ્રદેશ તેના વતનમાં જતો રહ્યો અને પાછો ન આવતા તેણે તેના 3 સંતાનો સાથે કૂવામાં પડતુ મૂક્યુ.
જામનગરઃ ધ્રોલના ખંભાળીયા ગામે 25 વર્ષની યુવતીને તેનો પતિ છોડીને મધ્ય પ્રદેશ તેના વતનમાં જતો રહ્યો અને પાછો ન આવતા તેણે તેના 3 સંતાનો સાથે કૂવામાં પડતુ મૂક્યુ. બુધવારે સવારે આ શ્રમિક મહિલાએ એકથી ચાર વર્ષના ત્રણ માસુમ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા ત્રણે બાળકો મોતને ભેટ્યા હતા જ્યારે માતાનો બચાવ થયો છે. પોલિસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો અને બચી ગયેલી માતા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલિસના જણાવ્યા મુજબ શ્રમિક મહિલા મસૂડી ભૂરિયા મધ્ય પ્રદેશની વતની છે અને થોડા સમય પહેલા સાસરિયા સાથે ખંભાળીયા ગામમાં ખેતમજૂરી કરવા માટે આવ્યા હતા. તેનો પતિ નરેશ ત્રણ મહિના પહેલા તેને છોડીને મધ્ય પ્રદેશમાં તેના વતન જતો રહ્યો. મસૂડીએ ઘણી વાર તેના પતિને ફોન કર્યા પરંતુ તે કોઈ જવાબ આપતો નહોતો. નરેશે મસૂડી સાથે પાંચ વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા અને તેમને 3 સંતાન હતા. મસૂડીએ બુધવારે સવારે તેના ત્રણ સંતાન રીયા(4 વર્ષ), માધુરી(2.5 વર્ષ) અને કનેશ(8 મહિના)ને કૂવામાં નાખી દઈને પોતે પણ ઝંપલાવ્યુ.
મસૂડીના સસરા સેનીયા ભૂરિયાએ આ ઘટના જોઈ અને ગામ લોકોને આ વિશે જણાવ્યુ. સ્થાનિક લોકોએ જામનગર ફાયર બ્રિગેડને બોલાવ્યા જે બાદ ત્રણે બાળકોને બહાર કાઢવામાં આવ્યા પરંતુ તેઓ મૃત્યુ પામ્યા હતા. પૂછપરછ દરમિયાન મહિલાએ પોલિસને જણાવ્યુ કે, 'તે તેના પતિની રાહ જોઈને કંટાળી ગઈ હતી અને પછી તેણે સંતાનો સાથે મોતને ભેટવાનો નિર્ણય કર્યો.' પોલિસે ત્રણ બાળકોની હત્યાના ગુનામાં મહિલા સામે કેસ નોંધ્યો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
