ગુજરાત: જામનગરમાં પીએમ મોદીએ કર્યું WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન
જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ અને અનેક દેશોના વડા પ્રધાનોએ હાજરી આપ
જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ અને અનેક દેશોના વડા પ્રધાનોએ હાજરી આપી હતી. આ વિદેશી મહેમાનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં જોડાયા હતા. WHOના ડાયરેક્ટર જનરલે ગુજરાતીમાં લોકોને શુભેચ્છા પાઠવી હતી.

આ દરમિયાન ડૉ. ટેડ્રોસ અધનોમે કહ્યું કે WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કોઈ સંયોગ નથી. મારા ભારતીય શિક્ષકોએ મને પરંપરાગત દવા વિશે સારી રીતે શીખવ્યું, જેના માટે હું તેમનો ખૂબ આભારી છું. હું પણ 'બોલીવુડ' ફિલ્મો જોઈને મોટો થયો છું અને હું સમજું છું કે સ્વિસ આલ્પ્સ 'બોલીવુડ'ના ચાહકો માટે પ્રિય સ્થળ છે.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ વિડિયો કોન્ફરન્સ દ્વારા આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેતાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે પરંપરાગત દવાનું આ વૈશ્વિક કેન્દ્ર પુરાવા આધારિત સંશોધન અને પરંપરાગત દવાઓના ધોરણોનું વૈશ્વિક કેન્દ્ર બનશે. ભૂટાનના વડા પ્રધાન લોટે શેરિંગ અને નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉવાએ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ દરમિયાન જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભારતમાં પરંપરાગત દવાના વૈશ્વિક કેન્દ્રની સ્થાપના માનવતા સામેના સૌથી મુશ્કેલ સમયમાં પણ વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રતિબદ્ધતાની નોંધપાત્ર પરિપૂર્ણતા છે. કોવિડનો કપરો સમય પણ આપણને રોકી શક્યો નહીં.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
