જૂનાગઢ : માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન
જૂનાગઢ જીલ્લામાં આવેલા માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યુ હતું
જૂનાગઢ જીલ્લામાં આવેલા માંગરોળ જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ, રાજકોટના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં કુલ 300 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
Recommended Video


આ કેમ્પમાં નિદાન કરવા માટે આવેલા લોકો માટે ચાપાણી, નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ નિદાન કેમ્પમાં ડોક્ટર વિપુલ રાઠોડ દ્વારા સેવા આપવામાં આવી હતી. જેમને વિનામુલ્યે આશરે 300થી વધુ દર્દીઓની આંખની તપાસ કરી હતી. જેમાંથી 80 લોકોને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત હોવાથી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ, રાજકોટ ખાતે તેમની સંસ્થાની બસમાં લઇ જવામાં આવ્યા હતા. આ દર્દીઓની આધુનિક તકનિક મારફતે નેત્રમણિ ઓપરેશન કરવામાં આવ્યું હતું, ઓપરેશન થયા બાદ તેમને કેમ્પના સ્થળે પરત પહોંચાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, માંગરોળમાં શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં જાતિ કે ધર્મનો ભેદભાવ રાખવામાં આવતો નથી. આ સાથે અત્યાર સુધીમાં માંગરોળ તાલુકા અને તેના આસપાસના ગામડાના હજારો લોકોએ આ કેમ્પમાં પોતાની આંખની સારવાર કરાવી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
