મહાવીર જંયતિ નિમિત્તે ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણી
હિંસા, ત્યાગ અને સપસ્યાનો સંદેશ આપનારા જૈન ધર્મના 24માં તીર્થંકર એવા ભગવાન મહાવીર જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે.
હિંસા, ત્યાગ અને સપસ્યાનો સંદેશ આપનારા જૈન ધર્મના 24માં તીર્થંકર એવા ભગવાન મહાવીર જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, સહિતના મહાનગરોમાં પણ મહાવીર સ્વામીની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહભેર જૈન કશ્રાવકોએ કરી હતી. મહાવીર સ્વામી ની જન્મ જયંતિ ને ઉપલક્ષ મા રાખી ને વડોદરા શહેર ના જૈન સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ નિમિત્તે અહિંસા ના પ્રચારર્થે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરમાં ભગવાન મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણક વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામી ની 13 ફૂટ ઊંચી મૂર્તિ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા મા જૈન સમાજ ના અગ્રણીઓ, યુવાનો, યુવતીઓ, બાળકો જોડાયા હતા.શોભાયાત્રા માં ડીજે દ્વારા મહાવીર સ્વામી ના જીવન ચરિત્રનો મહિમા વર્ણવતા ગીતો વગાડી ને જૈન સમાજ નો જયજયકાર કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા માં ગજરાજની સવારી 12 ઘોડાગાડી ઓ અહિંસા અને શાકાહાર ના પ્રચાર માટે નીકળી હતી. યુવાનો અને યુવતીઓ અંહિંસા નો સંદેશો ફેલાવતા પોસ્ટરો લઇને બાઈક રેલી કાઢીને શોભાયાત્રામાં જોડાયા હતા. શહેરીજનો મા યુવવાનો ની રેલી આકર્ષણ નું કેન્દ્ર બની હતી. ભગવાન મહાવીર સ્વામી ની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગો પર ફરી હતી અને ભક્તિમય વાતાવરણ ઉભું થયું હતું.
આજના દિવસે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટર પર શુભકામના આપતા લખ્યુ છે કે ભગવાન મહાવીરનું શિક્ષણ આજના યુગ માટે પ્રાસંગિક અને મહત્વપૂર્ણ છે..વિશ્વમાં પ્રેમ અને સૌહાર્દની સ્થાપના કરવા માટે ભગવાની મહાવીરના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવવી જોઈએ. તો ગુજરાતનામુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટ્વીટર પર નાગરિકોને મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવી હતી.
અમદાવાદમાં પણ વિવિધ દેરાસરોમાં સવારથી જૈન શ્રાવકો દ્વારા પૂજા તેમજ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મહાવીર જયંતિ નિમિત્તે ઠેર ઠેર ભગવાન મહાવીરની પ્રતિમાની શોભાયાત્રા કાઢવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
તો પાલિતાણા અને આબુ સહિતના જૈન દેરાસરો, ગાંધીનગર નજીક આવેલા મહુડી, ધોળકા નજીક આવેલા કલિકુંડ દેરાસર તેમજ જૈનમુનિઓના વિવિધ વિહાર ધામોમાં આજે ઉત્સવનો માહોલ સર્જાયો છે અન ેજૈન લોકો ઉથ્સાહપૂર્વક, નવા વસ્ત્રાભૂષણો ધારણ કરીને આ જન્મોત્સવને વધાવી રહ્યા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
