મોદી પર પીએમના નિવેદન સાથે આમ આદમી પાર્ટીએ દર્શાવી સહમતિ

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે કોણ વડાપ્રધાન બનશે તે મહત્વપૂર્ણ નથી કારણ કે દેશ ભ્રષ્ટાચાર અને મોંધવારીથી કંટાળી ગઇ છે. આમ આદમી પાર્ટી વડાપ્રધાન પદના આ નિવેદન સાથે સહમતિ દર્શાવી કે નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બનવું દેશ માટે વિનાશકારી હશે.

અરવિંદ કેજરીવાલે પત્રકારોને કહ્યું હતું કે 'મુદ્દો એ નથી કે રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. લોકો ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી કંટાળી ગયા છે. તે (ભાજપ અને કોંગ્રેસ) ફક્ત આ વાતની ચર્ચા કરે છે કે વડાપ્રધાન કોણ બનશે. સિલિન્ડરોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય માણસ કેવી રીતે ગુજરાન કરશે? તે આ મુદ્દાઓ પર ચર્ચા કરતા નથી. જો તેમના સહયોગી અને પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રશાંત ભૂષણે વડાપ્રધાન મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા.

arvind-kejriwal-cm

તેમને વડાપ્રધાન મનમોહન સિંહના શુક્રવારે આયોજિત સંવાદદાતા સંમેલન પર પ્રતિક્રિયામાં કહ્યું કે 'હું નથી માનતો કે ઇતિહાસ આ વડાપ્રધાન પ્રત્યે નરમ વલણ અપનાવશે જેણે ના ફક્ત ભ્રષ્ટાચાર થવા દિધો છે પરંતુ પોતાની સરકારના કાર્યકાળ દરમિયાન તેને ભરપૂર પ્રોત્સાહન પણ પુરૂ પાડ્યું છે.' તેમને આ સાથે જ કહ્યું હતું કે તે વડાપ્રધાનની આ વાત સાથે સહમત છે કે નરેન્દ્ર મોદી દેશ માટે વિનાશકારી સાબિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X