શું દિલ્હીમાં યોજાશે કિરણ-કેજરીવાલ વચ્ચે મુકાબલો?
નવી દિલ્હી, 15 એપ્રિલ: દિલ્હીમાં લોકસભા ચૂંટણી બાદ ભાજપ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઇ છે. રાજકીય હલચલ વચ્ચે સમાચાર આવ્યા છે કે તેને આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે મુખ્યમંત્રી પદના નવા ઉમેદવાર શોધી લીધા છે.
આ નવા ઉમેદવાર કોઇ બીજા નહી, પરંતુ એકસમયે અરવિંદ કેજરીવાલના સહયોગી રહી ચૂકેલા કિરણ બેદી છે. કિરણ બેદી અને અરવિંદ કેજરીવાલ બંને જ અણ્ણા આંદોલન બાદ ચર્ચામાં આવ્યા. પરંતુ પછી તે અલગ થઇ ગયા. સમયાંતરે કિરણ બેદીએ કેજરીવાલના પગલાંની નિંદા કરી પછી તેમનાથી અંતર બનાવી લીધું.
આજે કિરણ બેદી અને અરવિંદ કેજરીવાલનો હેતુ ભલે જ હોય, પરંતુ રસ્તા અલગ થઇ ચૂક્યા છે. એવામાં ભાજપ સાથે 'આમ આદમી'ને ટક્કર આપવાના સમાચારો રાજકીય માહોલ ગરમ કરી રહ્યાં છે.

સમાચાર છે કે હવે ભાજપ આ અલગાવનો ફાયદો ઉઠાવતાં કિરણ બેદીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો દાખ રમવા જઇ રહી છે. એમપણ કહેવામાં આવે છે કે કિરણ બેદી પણ આ વાત પર માની શકે છે. જો કે હજુસુધી આ સમાચાર મોહર લાગી શકી નથી, પરંતુ અંદરખાને પાર્ટીમાં કિરણ બેદીના નામ પર સળવળાટ ચાલું છે.












Click it and Unblock the Notifications
