લોકસભામાં પાસ થયેલા કરવેરા કાયદો (સુધારો) બિલ 2021 થવાથી કોને ફાયદો થશે?
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શુક્રવારના રોજ લોકસભામાં કરવેરા કાયદા (સુધારો) બિલ 2021 (taxation law amendment bill 2021) પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ દ્વારા 1961થી ચાલતા આવકવેરા કાયદામાં ફેરફાર કરવામાં આવશે.
નવી દિલ્હી : સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શુક્રવારના રોજ લોકસભામાં કરવેરા કાયદા (સુધારો) બિલ 2021 (taxation law amendment bill 2021) પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ દ્વારા 1961થી ચાલતા આવકવેરા કાયદામાં ફેરફાર કરવામાં આવશે. લોકસભાએ ગૃહમાં વિપક્ષના હોબાળા વચ્ચે કરવેરા કાયદા (સુધારા) બિલ, 2021 મંજૂર મળી ગઇ છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં ભાજપની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને અમે ટેક્સની પૂર્વવર્તી અરજીમાં માનતા નથી, અમે આ શબ્દ ઉમેરીને તેમાં સુધારો કરી રહ્યા છીએ.
આ બિલ હેઠળ ભારતીય સંપત્તિના પરોક્ષ ટ્રાન્સફર પર ટેક્સ વસૂલવા માટે પૂર્વવર્તી કરવેરા અધિનિયમ, 2012 દ્વારા કરવામાં આવેલી માંગણીઓ પરત ખેંચી લેવામાં આવશે. કેયર્ન એનર્જી અને વોડાફોન જેવી કંપનીઓને તેનો ફાયદો થશે, વર્ષ 2012ના કાયદાને કારણે આ કંપનીઓ પર મોટી જવાબદારીઓ હતી. હવે બિલ મંજૂર થયા બાદ જૂના ટેક્સ વિવાદનું સમાધાન થવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1961ના આવકવેરા કાયદાઓ પણ બદલાશે, જે વિદેશી રોકાણ માટે મોટો અવરોધ માનવામાં આવતો હતો.
આ ઉપરાંત વર્ષ 2012માં ઘડવામાં આવેલા કાયદા હેઠળ UPAના કાર્યકાળ દરમિયાન પૂર્વવર્તી કરની કોઈ નવી માગ મોકલવામાં આવશે નહીં. જો કે, આ માટે પોલિસી કંપનીઓએ કોર્ટમાં ચાલી રહેલો વિવાદ પરત ખેંચવો પડશે. આ સિવાય વિવાદને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવશે નહીં અને જો કોઈ કંપનીનું રિફંડ સરકાર પર કરવામાં આવશે તો તેના પર વ્યાજ આપવામાં આવશે નહીં. આ બાદ લોકસભાએ પેગાસસ અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે 'કરવેરા કાયદા (સુધારા) બિલ, 2021' ને મંજૂરી આપી.