Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાતીય અપરાધના કેસોની ઝડપી તપાસ પર અમિત શાહે ભાર મૂક્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારના રોજ મહિલાઓ અને બાળકો પર બળાત્કાર અને જાતીય અપરાધોના કેસોની વહેલી તપાસની જરૂરિયાત અને સમયબદ્ધ રીતે કડક સજાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રાજકોટ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારના રોજ મહિલાઓ અને બાળકો પર બળાત્કાર અને જાતીય અપરાધોના કેસોની વહેલી તપાસની જરૂરિયાત અને સમયબદ્ધ રીતે કડક સજાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વાત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠક દરમિયાન કહી હતી.

આ બેઠકમાં થયેલી ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓમાં સુધારો, મહિલાઓ અને બાળકો સામેના બળાત્કાર અને જાતીય અપરાધોના કેસોની દેખરેખ, આવા કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનો અમલ કરવાનો છે.

હાઇ સીમાં દરિયાઈ માછીમારોની ઓળખની ચકાસણી, દરિયાકાંઠાના રાજ્યો દ્વારા ઊંચા સમુદ્રમાં સામૂહિક બચાવ કામગીરી માટે સ્થાનિક આકસ્મિક યોજનાનો વિકાસ અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવશે.

ભારતીય નૌકાદળનું પ્રથમ સ્વદેશી નિર્મિત મિસાઈલ કોર્વેટ છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, આજે દમણ અને દીવ પ્રશાસન દ્વારા દીવમાં મ્યુઝિયમના રૂપમાં ડીકમીશ્ડ યુદ્ધ જહાજ INS ખુકરીને જનતાને સમર્પિત કરવામાં આવી હતી.

INS ખુકરી (P 49) યુદ્ધ જહાજ એ ભારતીય નૌકાદળનું પ્રથમ સ્વદેશી નિર્મિત મિસાઈલ કોર્વેટ છે, જે 32 વર્ષ સુધી દેશની દરિયાઈ સરહદોની રક્ષા કરવાની વિશિષ્ટતા ધરાવે છે.

ભારતીય નૌકાદળની બહાદુરી અને બલિદાનનો મહિમા જાણી શકશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, INS ખુકરી યુદ્ધ જહાજ હવે મ્યુઝિયમના રૂપમાં દીવની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. અહીં આવતા પ્રવાસીઓ 32 વર્ષથી દેશની સેવાને સમર્પિત આ યુદ્ધ જહાજની મુલાકાત લઈ શકશે અને તેનો ઈતિહાસ અને ભારતીય નૌકાદળની બહાદુરી અને બલિદાનનો મહિમા જાણી શકશે.

સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરી

અમિત શાહે ગુજરાતીમાં ટ્વીટ કર્યું હતું કે, દીવમાં @BJP4DamanDiu ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. આ સાથે કોઈપણ પાત્ર લાભાર્થી મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહે તે માટે આપણે સૌએ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવું પડશે.

માળખાકીય સુવિધાને મજબૂત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી જણાવ્યું છે કે, છેલ્લા 8 વર્ષથી તમામ કેન્દ્રશાસિત પ્રદેશોના સર્વાંગી વિકાસ માટે @narendramodi સરકાર સતતસમર્પિત ભાવ સાથે કામ કરી રહી છે. આજે દીવમાં 74.1 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ દમણ અને દીવમાં પ્રગતિ અનેપ્રવાસનના નવા આયામો ખોલશે, તેમજ અહીંની માળખાકીય સુવિધાને મજબૂત કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X