રાજકોટ એરપોર્ટને ચાલુ મહિને વધુ ચાર ફ્લાઈટ મળશે
રાજકોટ એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈ અને દિલ્હી માટે બે-બે ફ્લાઈટ્સ 27 માર્ચથી શરૂ થશે. હાલમાં મુંબઈ માટે ચાર ફ્લાઈટ્સ છે, જે હવે વધારીને છ અને દિલ્હી માટે ત્રણ ફ્લાઈટ કરવામાં આવશે, જે હવે દરરોજ પાંચ થશે.
રાજકોટ : આ ઉનાળામાં વેકેશન કરનારાઓ રાજકોટથી વધુ ફ્લાઈટ્સ મેળવી શકશે. કોરોનાની ત્રીજી લહેર સંપૂર્ણ રીતે સમાપ્ત થવાથી અને વધુ લોકો મુસાફરી કરે તેવી અપેક્ષા સાથે, શહેરને મુંબઈ અને દિલ્હી માટે વધુ ફ્લાઇટ્સ અને હૈદરાબાદ સાથે નવી કનેક્ટિવિટી મળશે. એરપોર્ટ હાલમાં નવ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જે 27 માર્ચથી 14 ફ્લાઇટની હશે.

રાજકોટ એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈ અને દિલ્હી માટે બે-બે ફ્લાઈટ્સ 27 માર્ચથી શરૂ થશે. હાલમાં મુંબઈ માટે ચાર ફ્લાઈટ્સ છે, જે હવે વધારીને છ અને દિલ્હી માટે ત્રણ ફ્લાઈટ કરવામાં આવશે, જે હવે દરરોજ પાંચ થશે. આ એરપોર્ટ પહેલાથી જ બેંગ્લોર અને ગોવા સાથે જોડતી ફ્લાઈટ્સ ધરાવે છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા, એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, દરેક ફ્લાઇટ વચ્ચે 50 મિનિટનું અંતર હોય છે, તેથી અમે તે તમામને સરળતાથી ઓપરેટ કરીશું. ટર્મિનલમાં વર્તમાન બેઠક ક્ષમતા 200 છે, પરંતુ એક મહિનામાં એક્સ્ટેંશનનું કામ પૂર્ણ થઈ જાય તો વધુ 90 મુસાફરો બેસી શકશે.
મુંબઈ અને દિલ્હી અને અન્ય સ્થળો સાથેની કનેક્ટિવિટી પણ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. મોરબી અને જામનગરનો વેપારી સમુદાય પણ રાજકોટ એરપોર્ટનો ઉપયોગ કરે છે.
રાજકોટના અગ્રણી ટ્રાવેલ એજન્ટ સંજય મહેતાએ જણાવ્યું હતું કે, અમે ટ્રાવેલ એજન્ટોએ પણ નવો સિક્સ લેન હાઇવે પૂર્ણ ન થાય ત્યાં સુધી અમદાવાદની ફ્લાઇટની માંગણી કરી છે. રોડ માર્ગે અમદાવાદ પહોંચતા પાંચથી છ કલાકનો સમય લાગે છે. એરલાઇન્સ અને એરપોર્ટ ઓથોરિટી આ અંગે સકારાત્મક છે.












Click it and Unblock the Notifications
