નવાઝુદ્દીનને રામલીલામાં પાત્ર ભજવવાની મનાઇ, કહ્યું – નામ અને વ્યક્તિ બંને સામે વાંધો
બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને શિવસેનાએ તેમના પોતાના ગામ બુઢાનામાં રામલીલામાં કામ કરવાની મનાઇ ફરમાવી દીધી છે. ઉત્તર પ્રદેશ સ્થિત મુઝફ્ફરનગર જિલ્લાના બુઢાના ગામના નિવાસી નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના ગામમાં રામલીલામાં મારીચનું પાત્ર ભજવવાના હતા. રામલીલામાં પાત્ર ભજવવા માટે નવાઝુદ્દીન બુધવારે (5 ઑક્ટોબર) જ પોતાના ગામ પહોંચી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે નવાઝુદ્દીને પોતાના આ પાત્ર માટે ઘણુ રિહર્સલ કર્યુ હતુ.

નામ અને વ્યક્તિ બંને સામે વાંધો
નવાઝુદ્દીનના રામલીલામાં ભાગ ન લઇ શકવા પર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે અફસોસ વ્યક્ત કર્યો હતો. મુઝફ્ફરનગર શિવસેનાના મુકેશ શર્માએ કહ્યુ કે નવાઝુદ્દીન નામના વ્યક્તિને રામલીલા નહી કરવા દઇએ. અહીંની રામલીલાના ઇતિહાસમાં આજ સુધી કોઇ પણ "દીન" નામના વ્યક્તિએ રામલીલામાં કોઇ પાત્ર ભજવ્યુ નથી. તેમણે જણાવ્યું કે અમને નામ અને વ્યક્તિ બંને સામે વાંધો છે.
નવાઝનુ નામ સાંભળીને ઘણા લોકો આવ્યા હતા
તમને જણાવી દઇએ કે પોતાના જ ગામની રામલીલામાં નવાઝુદ્દીન પાત્ર નિભાવશે એવી જાણકારી મળતા આસપાસના ઘણા વિસ્તારમાંથી લોકો બુઢાના આવ્યા હતા. પરંતુ નવાઝુદ્દીનના પાત્ર ન ભજવી શકવાને કારણે તેઓ દુ:ખી થઇ ગયા હતા.
આ મામલે બુઢાના વિસ્તારના પોલિસ અધિકારી સુધીર તોમરે જણાવ્યું કે નવાઝુદ્દીન કે રામલીલા કમિટીએ હાલમાં એવી કોઇ ફરિયાદ દાખલ કરાવી નથી. તેમને એ વાતની સૂચના પણ નહોતી કે નવાઝુદ્દીન રામલીલામાં ભાગ લેવા આવી રહ્યા છે. અમુક લોકોનુ કહેવુ છે કે હાલમાં જ તેમના ભાઇની પત્નીએ તેમની સામે વિભિન્ન કલમો હેઠળ કેસ કર્યો છે, નવાઝ સામાજિક પ્રતિષ્ઠા મેળવવા આ પાત્ર કરવા માંગતા હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
