હર ઘર તિરંગા અભિયાને સુરતના વેપારીની કિસ્મત ચમકાવી, અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળ્યો!

સુરતના પાંડેસરામાં એક કાપડની ફેક્ટરીમાં સતત મશીનો દ્વારા સફેદ કાપડના રોલ પર ડાઈંગ અને પ્રિન્ટિંગનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. જેમાં કેસરી, લીલો અને પછી અશોક ચક્ર લગાવીને ત્રિરંગા તૈયાર કરવામાં આવી રહ્યા છે.

સુરત : સુરતના પાંડેસરામાં એક કાપડની ફેક્ટરીમાં સતત મશીનો દ્વારા સફેદ કાપડના રોલ પર ડાઈંગ અને પ્રિન્ટિંગનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. જેમાં કેસરી, લીલો અને પછી અશોક ચક્ર લગાવીને ત્રિરંગા તૈયાર કરવામાં આવી રહ્યા છે. અચાનક આ ફેક્ટરીના માલિકની કિસ્મત ચમકી ગઈ છે.

tiranga

ફેક્ટરીના માલિક સંજય સરોગીનું કહેવું છે કે તેમને 'હર ઘર તિરંગા' અભિયાન માટે એક કરોડ ફ્લેગ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. આ અભિયાન હેઠળ સરકારે આઝાદીની 75મી વર્ષગાંઠ પર 13થી 15 ઓગસ્ટ સુધી દેશભરના 24 કરોડ ઘરોમાં ત્રિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્લેગ કોડમાં પણ ફેરફાર કર્યો હતો, ત્યારબાદ ખાદીની સાથે પોલિએસ્ટર ફેબ્રિકમાંથી ત્રિરંગાને બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કોર્પોરેટ-સરકારની ભાગીદારી દ્વારા સુરતની ટેક્સટાઈલ મિલોને મળેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે.

કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી અને સુરતના ભાજપના સાંસદ દર્શના જરદોશે એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે, કંપનીઓને તેમના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડનો ઉપયોગ ત્રિરંગા બનાવવા માટે કરવામાં આવ્યો છે. અમે લોકો ધ્વજ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ માટે 20×30 સાઇઝના ધ્વજની કિંમત 25 રૂપિયા છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે લોકો કોઈ વસ્તુ માટે પૈસા ખર્ચે છે ત્યારે તેઓ તેનું ધ્યાન રાખે છે. જો આ બધું મફતમાં આપવામાં આવે તો કોઈને પરવા નહીં થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X