For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલ - ભાજપની ધમકીઓના કારણે 13 વખત બદલવું પડ્યું સ્થળ

આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે, જે મંગળવારે બપોરે ગુજરાતના વડોદરા પહોંચ્યા હતા.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે, જે મંગળવારે બપોરે ગુજરાતના વડોદરા પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, ભાજપે "13 સ્થળોના માલિકોને ધમકી આપી હતી" કે AAP શહેરમાં પાર્ટીના કાર્યક્રમ માટે બુક કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ "ગુંડાગર્દી" નો આશરો લેતી હોવાનું જણાવતા, કેજરીવાલે એમ પણ કહ્યું કે, AAP, ભાજપથી વિપરીત, ગેરકાયદેસર દારૂના વેપારને મંજૂરી આપ્યા વિના ગુજરાતમાં દારૂબંધી લાગુ કરશે.

ak

વડોદરામાં શિક્ષકો અને વાલીઓ સાથેની વાતચીત પહેલા મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો કે, તે મંગળવારે તેના કાર્યક્રમ માટે AAP દ્વારા પસંદ કરાયેલા સ્થળોના માલિકોનો સંપર્ક કરી રહ્યો છે.

આ સાથે અરવિંદ કેજરીવાલે જણવ્યું હતું કે, 13 સ્થળોને બોલાવ્યા અને તેમને ધમકી આપી હતી, અમે એક સ્થળ પસંદ કરીશું અને તરત જ એક કોલ આવશે, જેમાં નિર્દેશ આપવામાં આવશે કે, AAPને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવી જોઈએ નહીં. કેજરીવાલને મંજૂરી આપવી જોઈએ નહીં. અમારે 13 વખત સ્થળ બદલવું પડ્યું,

કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, આ વાજબી નથી. અમે દુશ્મન નથી પરંતુ સહ-સ્પર્ધક છીએ. ચાલો ન્યાયી બનીએ. તમે તમારી રાજનીતિ કરો, મને મારું કરવા દો, પરંતુ ભાજપ ગુંડાગર્દીનો આશરો લઈ રહી છે. તેઓએ આ માત્ર મારી સાથે નહીં, પરંતુ ગુજરાતના લોકો સાથે પણ આ જ કર્યું છે. ગુજરાતની જનતા ભાજપની ગુંડાગીરીથી કંટાળી ગઈ છે.

વડોદરા એરપોર્ટ પર તેમના નેતાના આગમનની રાહ જોઈ રહેલા આધ્યાત્મિક જૂથના સ્વયંસેવકો દ્વારા અગાઉ હોબાળો અને "મોદી, મોદી" ના નારા લગાવનારા અંગે કેજરીવાલે જણાવ્યું હતું કે, AAP ચૂંટાઈ આવશે તો ગુજરાતમાં દારૂબંધીના કાયદાને જાળવી રાખશે. અમે પ્રતિબંધ કાયદો લાગુ કરીશું. બીજેપીથી વિપરીત, જે રૂપિયા 1,300 કરોડના ગેરકાયદેસર દારૂના ધંધાની દેખરેખ અને સંચાલન કરે છે. દરેક જાણે છે કે, આ તેમનો પોતાનો ધંધો છે. AAP એવી પાર્ટી નથી જે ગેરકાયદેસર નાણાં પર ચાલે છે. અમારી પાસે પ્રમાણિક માધ્યમો દ્વારા પારદર્શક એકાઉન્ટ્સ અને નાણાં છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના વખાણ કરતા કેજરીવાલે કહ્યું કે, જો ભગવંત માન ત્રણ મહિનામાં વીજળી ફ્રી કરી શકતા હતા, તો બીજી પાર્ટીઓએ આટલા વર્ષો સુધી મફતમાં કેમ નથી આપી? પંજાબની જનતાના બધા પૈસા ક્યાં છે? અગાઉના પક્ષોએ તમામ પૈસા ક્યાં મૂક્યા? હું જનતાનો માણસ છું, હું આ કરી શકું છું. હું રાજકારણ નથી રમી શકતો પણ મને મફત વીજળી આપવાનું કહો, હું કરીશ.

English summary
Arvind Kejriwal said Had to change venue 13 times due to 'threat calls' from BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X