વડોદરાની કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટતા એક કામદારનુ મોત, 14 ઘાયલ
વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલરલ ફાટવાની ઘટના સામે આવી છે.
વડોદરાઃ વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલરલ ફાટવાની ઘટના સામે આવી છે. બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 14 જેટલા કર્મચારીઓ ઘાયલ થઈ ગયા છે અને એક કામદારનુ મોત થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે પોણા નવ વાગ્યા આસપા બોઈલર ફાટવાની ઘટના બની છે. બોઈલર ફાટતા કંપનીમાં કરતા અનેક કર્મચારીઓ દાઝી ગયા છે.

ઘટના બાદ તાત્લાલિક પોલિસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દૂર્ઘટનામાં એક કર્મચારીનુ મોત નીપજ્યુ છે જ્યારે 14 કર્મચારીઓ ઘાયલ થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્લાસ્ટની ઘટનામાં નાના બાળકો પણ દાઝી ગયા છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસની દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. દિવાલો તૂટી પડતા નજીકના ઘરોનો સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો.
નોંધનીય છે કે કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વસાહત પાસે જ બોઈલર ફાટ્યુ હતુ. જેમાં કામદારોના નાના બાળકો સહિત રિવારજનો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
