વડોદરા વિશ્વામિત્રી નદીમાં મગરોની વસ્તી ગણતરી કરાઈ, જાણો કેટલા મગર નોંધાયા?
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરીના પ્રાથમિક આંકડા સામે આવ્યા છે, જેમાં આશરે 417 જેટલા મગરો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
7 ફેબ્રુઆરીના રોજ વન વિભાગ, એનજીઓ અને એમ.એસ. યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ખાસ ગણતરી હાથ ધરવામાં આવી હતી.

નદીના 25 કિલોમીટરના વિસ્તારને કુલ 10 ઝોનમાં વહેંચીને દિવસ અને રાત્રિ દરમિયાન અલગ-અલગ પદ્ધતિથી આ મગરોની સંખ્યા માપવામાં આવી હતી.
સવારે ડાયરેક્ટ સાઇટિંગ અને રાત્રે મગરોની આંખોની ચમક દ્વારા તેમની ઓળખ કરવામાં આવી હતી, જેમાં સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક પોતાની સેવાઓ આપી હતી.
ગણતરી મુજબ કાલાઘોડાથી નરહરિ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં સૌથી વધુ 103 મગરો જોવા મળ્યા છે, જે નદીનો સૌથી વધુ મગર ધરાવતો પટ્ટો છે.
વર્ષ 2020 માં અહીં 212 મગરો હતા, જે 2025 માં વધીને 447 થયા હતા અને હાલ 2026 માં આ આંકડો 417 પર પહોંચ્યો છે.
હાલમાં આ આંકડાઓ પ્રાથમિક છે અને ડેટા એનાલિસિસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા તેનો સત્તાવાર આખરી રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
