વડોદરા વિશ્વામિત્રી નદીમાં મગરોની વસ્તી ગણતરી કરાઈ, જાણો કેટલા મગર નોંધાયા?

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરીના પ્રાથમિક આંકડા સામે આવ્યા છે, જેમાં આશરે 417 જેટલા મગરો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

7 ફેબ્રુઆરીના રોજ વન વિભાગ, એનજીઓ અને એમ.એસ. યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ખાસ ગણતરી હાથ ધરવામાં આવી હતી.

નદીના 25 કિલોમીટરના વિસ્તારને કુલ 10 ઝોનમાં વહેંચીને દિવસ અને રાત્રિ દરમિયાન અલગ-અલગ પદ્ધતિથી આ મગરોની સંખ્યા માપવામાં આવી હતી.

સવારે ડાયરેક્ટ સાઇટિંગ અને રાત્રે મગરોની આંખોની ચમક દ્વારા તેમની ઓળખ કરવામાં આવી હતી, જેમાં સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક પોતાની સેવાઓ આપી હતી.

ગણતરી મુજબ કાલાઘોડાથી નરહરિ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં સૌથી વધુ 103 મગરો જોવા મળ્યા છે, જે નદીનો સૌથી વધુ મગર ધરાવતો પટ્ટો છે.

વર્ષ 2020 માં અહીં 212 મગરો હતા, જે 2025 માં વધીને 447 થયા હતા અને હાલ 2026 માં આ આંકડો 417 પર પહોંચ્યો છે.

હાલમાં આ આંકડાઓ પ્રાથમિક છે અને ડેટા એનાલિસિસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા તેનો સત્તાવાર આખરી રિપોર્ટ જાહેર કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X