વડોદરા વિશ્વામિત્રી નદીમાં મગરોની વસ્તી ગણતરી કરાઈ, જાણો કેટલા મગર નોંધાયા?
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરીના પ્રાથમિક આંકડા સામે આવ્યા છે, જેમાં આશરે 417 જેટલા મગરો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
7 ફેબ્રુઆરીના રોજ વન વિભાગ, એનજીઓ અને એમ.એસ. યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ખાસ ગણતરી હાથ ધરવામાં આવી હતી.

નદીના 25 કિલોમીટરના વિસ્તારને કુલ 10 ઝોનમાં વહેંચીને દિવસ અને રાત્રિ દરમિયાન અલગ-અલગ પદ્ધતિથી આ મગરોની સંખ્યા માપવામાં આવી હતી.
સવારે ડાયરેક્ટ સાઇટિંગ અને રાત્રે મગરોની આંખોની ચમક દ્વારા તેમની ઓળખ કરવામાં આવી હતી, જેમાં સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક પોતાની સેવાઓ આપી હતી.
ગણતરી મુજબ કાલાઘોડાથી નરહરિ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં સૌથી વધુ 103 મગરો જોવા મળ્યા છે, જે નદીનો સૌથી વધુ મગર ધરાવતો પટ્ટો છે.
વર્ષ 2020 માં અહીં 212 મગરો હતા, જે 2025 માં વધીને 447 થયા હતા અને હાલ 2026 માં આ આંકડો 417 પર પહોંચ્યો છે.
હાલમાં આ આંકડાઓ પ્રાથમિક છે અને ડેટા એનાલિસિસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા તેનો સત્તાવાર આખરી રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
