વડોદરા નેશનલ હાઈવે પર ભીષણ અકસ્માત, 11ના મોત, CM રૂપાણીએ વ્યક્ત કર્યુ દુઃખ

ગુજરાતમાં આજે સવારે ભીષણ અકસ્માત સર્જાઈ ગયો.

વડોદરાઃ ગુજરાતમાં આજે સવારે ભીષણ અકસ્માત સર્જાઈ ગયો. અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે સ્થિત વાઘોડિયા ચોકરી બ્રીજ પર એક ડમ્પર અને આઈશર ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ. જેમાં બંને વાહનો શ્રતિગ્રસ્ત થઈ ગયા અને 5 મહિલાઓ સહિત 11 લોકોના જીવ જતા રહ્યા. લગભગ 15 લોકો આ અકસ્માતમાં ઘવાયા. ઘટના સ્થળે લોકોની ચીસાચીસ સંભળાઈ રહી હતી. સૂચના મળતા જ પોલિસ તેમજ પ્રશાસનની ટીમો પહોંચી અને રાહત તેમજ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ.

accident

દૂર્ઘટના માટે સીએમ વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યુ અને ટ્વિટ કરીને કહ્યુ કે, 'આજે વડોદરા પાસે જે માર્ગ અકસ્માત થવાથી જે જાનમાલનુ નુકશાન થયુ છે તેનાથી દુઃખી છુ. અધિકારીઓને જરૂરી કામ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા. જે લોકો ઘાયલ થયા છે તે જલ્દી ઠીક થઈ જાય એ કામના છે. હું મૃતકો માટે પણ પ્રાર્થના કરુ છુ.'

માહિતી અનુસાર વાઘોડિયા ચોકડી બ્રીજ પર થયેલ આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને વાહનોમાં સવાર લોકોને પોતાની જગ્યાએથી હલવાનો મોકો પણ ન મળ્યો. દૂર્ઘટના બાદ ત્યાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા અને પોલિસ તેમજ ફાયર ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી. ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દ્વારા આઈશર ટ્રક તેમજ ડમ્પરમાં ફસાયેલી લાશોને ક્રેનથી બહાર કાઢવામાં આવી. જેમાં 5 મહિલા, 3 પુરુષ અને એક બાળક સહિત 9 લોકોના મૃતદેહ મળ્યા. બાકી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢીને સયાજીગંજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જો કે આમાંથી ઘણાની સ્થિતિ નાજુક હોવાના કારણે મોતનો આંકડો વધવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X