ઇસ્લામાબાદ કોર્ટમાં બ્લાસ્ટ, જજ સહિત 11 લોકોના મોત
ઇસ્લામાબાદ, 3 માર્ચ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની કોર્ટમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. જેમાં એક ન્યાયાધિશ સહીત 11 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધારે લોકો ઘાયલ થયા છે. ત્યારબાદ કોર્ટ પ્રાંગણમાં સુરક્ષા દળ અને હુમલાખોરોની વચ્ચે જોરદાર ફાયરિંગ થયું. આ ઘટના બાદ કોર્ટની કામગીરીને થંભાવી દેવામાં આવી. હજી પણ કોર્ટની અંદર હુમલાખોર છૂપાયા હોવાની આશંકા છે.
સ્થાનીય મીડિયા અનુસાર ઇસ્લામાબાદના એફ-8 વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં એડિશનલ જજ રફાકત અવાનનું પણ મોત થયું છે. પોલીસનું કહેવું છે કે બે આત્મઘાતી હુમલાવર કોર્ટ પરિસરમાં ઘુસ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. હુમલાખોરોએ હેંડ ગ્રેનેડ પણ ફેંક્યા. ત્યાર બાદ જ્યારે પોલીસે તેમને પકડવાની કોશિશ કરી તો હુમલાખોરોએ વિસ્ફોટ કરીને ખુદને ઉડાવી દીધા.
આ હુમલામાં 20થી વધારે લોકો જખ્મી થઇ ગયા છે. તેમને પાકિસ્તાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સમાં ભરતી કરાવી દેવામાં આવ્યા છે.
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના પ્રવક્તા શહીદુલ્લા શાહિદે આ હુમલાની પાછળ તેમના ગ્રુપનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે. પ્રવક્તાએ આ હુમલાની નિંદા કરતા જણાવ્યું છે કે તેમનું ગ્રુપ શનિવારે જાહેર કરેલ સીઝફાયરનું ઉલ્લંઘન નહીં કરે.