Coronavirus: મેથનૉલથી મહામારી નહિ થાય, આ શકમાં ઈરાનમાં જનતાએ ઝેર પી લીધું, 300ના મોત
Coronavirus: મેથનૉલથી મહામારી નહિ થાય, આ શકમાં ઈરાનમાં જનતાએ ઝેર પી લીધું, 300ના મોત
તેહરાનઃ ઈરાનમાં પહેલે જ કોરોના વાયરસના કારણે અફરાતફરીનો માહોલ છે અને કેટલાય પ્રકારની ગેરસમજણ આ સ્થિતિને વધી બગાડી રહી છે. અહીં મેથનૉલ પીવાથી 300 લોકોના મોત થઈ ગયા છે અને 1000 લોકોની હાલત બગડી ગઈ છે. ઈરાનની મીડિયા તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ લોકોને લાગ્યું હતું કે મેથનૉલ પીવાથી કોરોના વાયરસથી જીવ બચી શકશે. ઈરાનમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે 2378 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

સરકાર સામે બેવડો પડકાર
મેથેનૉલ પીવાથી પાંચ વર્ષના એક બાળકની આંખો ચાલી ગઈ છે. આ ઉપરાંત અહીં ખરાબ દારૂ પી લેવાથી 25 લોકોના મોત થઈ ગયા હતા. ઈરાનમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલાય પ્રકારના ઉપચાર વાયરલ થઈ રહ્યા છે. જનતાનો સરકાર પર બિલકુલ પણ ભરોસો નથી અને એવામાં તેઓ આ અફવાઓને જ માનવામાં આવી રહી છે. દારૂ પીવાથી ઈરાનમાં બેન છે પરંતુ અહીં એક વ્યક્તિ તરફતી ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ વહેંચવામાં આવ્યું હતું. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રીના સલાહકાર ડૉક્ટર હુસૈન હસનૈને કહ્યું કે બીજા દેશોમાં બસ કોરોના વાયરસ મહામારીની એકલી જ સમસ્યા છે. પરંતુ અહીં સરકારને 2 મુસીબતોથી જૂઝવું પડી રહ્યું છે. તેમણે જણાવ્યું કે દારૂ પીને આવતા લોકોનો ઈલાજ પણ કરવો છે અને પછી કોરોનાી પણ તેમને બચાવવા છે.
ઈરાનમાં ચૂંટણી થનાર છે
ઈરાનમાં સંસદીય ચૂંટણી થનાર છે અને સરકાર ભરોસો ગુમાવી ચૂકી છે. હસનૈને જણાવ્યું કે દુર્ભાગ્યથી કેટલાક પ્રાંતમાં મેથનૉલ પીવાથી મરનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઈરાનની સોશિયલ મીડિયા પર કેટલાક દિવસો પહેલા એક બ્રિટિશ સ્કૂલ ટીચરના ખોટા દાવા મુજબ વાયરલ થયો હતો કે તેમણે વ્હીસકી અને મધથી કેટલાક લોકોનો ઈલાજ કર્યો હતો. આ ઉપરાંત હેન્ડ સેનેટાઈઝર, કોવિડ-19 પર અસરકારક સાબિત થયા છે, કેટલાય લોકોએ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ જેવા મેથનૉલ પીવાનું શરૂ કરી દીધું હતું. તેમને લાગ્યું કે આનાથી કોરોનાનો શિકાર થવાથી બચી શકાય છે, પરંતુ તેમણે વિચાર્યું નહિ હોય કે તેઓ ખુદ સામે ચાલીને મોતના રસ્તા તરફ વળી રહ્યા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત








Click it and Unblock the Notifications
