મેનહેટનની બિલ્ડિંગમાં લાગી આગ, 38 લોકોના મોત
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલા મેનહેટનની એક ઉંચી બિલ્ડિંગમાં શનિવારની સવારે ભિષણ આગ લાગી હતી. આ ઘટનામાં 38 લોકોના મોત થયા હતા. આ સાથે આ દુર્ઘટનામાં 2 ગંભીર રીતે ઘાયલ થયા છે.
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલા મેનહેટનની એક ઉંચી બિલ્ડિંગમાં શનિવારની સવારે ભિષણ આગ લાગી હતી. આ ઘટનામાં 38 લોકોના મોત થયા હતા. આ સાથે આ દુર્ઘટનામાં 2 ગંભીર રીતે ઘાયલ થયા છે.
ફાયર ફાઇટરની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. જેમાં ઘણા લોકો અપાર્ટમેન્ટની બારીઓ પર લટકતા જોવા મળે છે. ફાયર ફાઇટર્સ તેમનો બચાવ કર્યો હતો.
લિથિયમ બેટરીને કારણે લાગી આગ
ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગના ઉપરના માળે રહેતા કેટલાક લોકો ટેરેસમાંથી બહાર આવ્યા હતા.
ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટના કમિશનર લૌરા કેવનોગે જણાવ્યું હતું કે, આગ 20મા માળે અજાણ્યા ઉપકરણમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ બેટરીને કારણે લાગી હતી.
આ સાથે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં 38 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે અને પાંચ ગંભીર રીતે ઘાયલ છે.