કાબુલ બોમ્બ વિસ્ફોટ: 80 લોકોની મોત, 350થી વધુ લોકો ઇજાગ્રસ્ત
ભારતીય દૂતાવાસ સમક્ષ કાબુલમાં એક મોટો વિસ્ફોટ થયો છે. આ અંગે વિગતવાર જાણો અહીં.
અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારતીય દૂતાવાસ સામે એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ વિસ્ફોટ એટલો મોટો હતો કે દૂર દૂર પણ તેનો ધુમાડો સ્પષ્ટ દેખાતો હતો. આ વિસ્ફોટ ભારતીય દૂતાવાસની 50 મીટરની દૂરી પર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિત મુજબ આ વિસ્ફોટ જર્મની અને ભારતીય દૂતાવાસની વચ્ચે થયો છે. હાલ જ અફધાનિસ્તાન દ્વારા આ વિસ્ફોટમાં 80 લોકોની મોત અને 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જાણકારોનું માનવું છે કે બોમ્બ વિસ્ફોટ દ્વારા ભારતીય અને જર્મની બન્ને અંગે એક રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીની મુલાકાત લીધી હતી. અને ભારત અને જર્મનીના સંબંધો હાલ સુમેળ ભર્યા છે. ત્યારે ભારતીય અને જર્મનીના દૂતાવાસ વચ્ચે થયેલો આ બોમ્બ વિસ્ફોટ ધણું કહી જાય છે.

ઉલ્લેખનીય છે કે હાલ સોશ્યલ મીડિયા દ્વારા આ વિસ્ફોટની કેટલીક તસવીરો બહાર આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ 80 લોકોની મોત અને 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોવાની જાણકારી બતાવે છે કે વિસ્ફોટ કેટલો પ્રચંડ હતો. આ વિસ્ફોટ પછી આજુ બાજુના વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી. જે બાદ સ્થાનિક પોલીસ ઇજાગ્રસ્તોને પાસેના સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અફધાનિસ્તાનમાં અનેક વાર આવા વિસ્ફોટ થઇ ચૂક્યા છે. રમઝાનના પવિત્ર સમયે પણ આવા વિસ્ફોટો બંધ થવાનું નામ નથી લેતા તે એક દુખની વાત છે. ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અફધાનિસ્તાનમાં થયેલા આ બોમ્બ વિસ્ફોટની નીંદા કરી શોક વ્યક્ત કર્યો છે.
Afghanistan Ministry of Health confirms 19 dead and 319 wounded in #KabulExplosion: Afghan media (Earlier visual) pic.twitter.com/95QZ8UDyqU
— ANI (@ANI_news) May 31, 2017
Condemn Kabul blast.India stands with Afghanistan in fighting all types of terrorism.Forces supporting terrorism need to be defeated:PM Modi pic.twitter.com/SDQgWJr0C6
— ANI (@ANI_news) May 31, 2017
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
