યુએસ-અફધાન બેઝ જલાલાબાદ એરપોર્ટ પર તાલીબાની હુમલો, 11નાં મોત

તાલિબાને કહ્યું કે, હવાઇ મથક પરિસર પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો જે નાટોનું એક પ્રમુખ ઠેકાણું છે. તેમણે કહ્યું કે, ઉગ્રવાદી હવાઇ મથકમાં ઘુસી ગયા છે, અફધાન સરકારના અધિકારીઓએ આ વાતની પૃષ્ટિ કરી છે કે, હવાઇ મથક પરિસર પર સંઘર્ષ થયો છે. એક ચોકીદારે કહ્યું કે, શરૂઆતમાં ભીષણ વિસ્ફોટ કર્યા બાદ હવાઇ મથક પર રોકેટ ચલાવી ગ્રેનેડ મોર્ટાર અને નાના હથિયારોથી હુમલો કરવામાં આવ્યો.
આ હુમલામાં 11 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલો છે. નાટોના આંતરરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દળના પ્રવક્તાએ પૃષ્ટિ કરી છે કે જલાલાબાદ હવાઇ મથકની આસપાસ ઘણા વિસ્ફોટ થયા છે, પરંતુ તેમણે હજુ પણ વધારે તપાસ કરી નથી.












Click it and Unblock the Notifications
