વિશ્વના 100 વિચારકોની યાદીમાં અરવિંદ કેજરીવાલનો સમાવેશ
વોશિંગ્ટન, 12 ડિસેમ્બર: દિલ્હીમાં પહેલી વાર ચૂંટણીમાં ઉતરનાર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને 'દેશની રાજધાનીમાં રાજકીય અભિયાનનું નેતૃત્વ કરવા માટે 'વિદેશ નીતિ પત્રિકાના 100 વૈશ્વિક વિચારકોની યાદીમાં સ્થાન બનાવ્યું છે.
મેગેજીને કહ્યું છે કે ''કેજરીવાલે ક્રાંતિની મશાલ સળગાવવાનું કામ કર્યું છે.'' 'બીજાથી અલગ ઉલ્લેખનીય કામ' અને 'સંભાવનાઓની સીમાઓનો વિસ્તાર કરનાર' લોકોની યાદીમાં અરવિંદ કેજરીવાલને 32મા સ્થાને રાખવામાં આવ્યાં છે. મેગેજીને અરવિંદ કેજરીવાલને સંભાવનાઓના નવા દ્વારા ખોલનાર ગણાવ્યા છે. મેગેજીને કહ્યું છે કે ફક્ત બે વર્ષ પહેલાં દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી કેટલાય આંદોલનો થયા અને જુલાઇમાં કરાવવામાં આવેલા સર્વેક્ષણમાં 71 ટકાએ કહ્યું કે ભ્રષ્ટાચાર ચરમ પર છે.
મેગેજીનની આ યાદીમાં પહેલું સ્થાન અમેરિકી ગુપ્તચર એજન્સીમાં કામ કરનાર એડવર્ડ સ્નોડેન છે. સ્નોડેનને હાલમાં રૂસમાં શરણ લીધી છે, જેમને રાષ્ટ્ર સુરક્ષાના નામ પર લોકોના ફોન ટેપ કરવાનો વિરોધ કર્યો હતો.
ભારતની મહિલા અધિકારવાદી ઉર્વશી બૂટાલિયા અને કવિતા કૃષ્ણન આ યાદીમાં 77મા સ્થાન પર છે. રાજેન્દ્ર પચૌરીને આ યાદીમાં 42મું સ્થાન મળ્યું છે.