મસ્કટ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં લાગી આગ, યાત્રિઓને સુરક્ષિત બહાર કઢાયા
એર ઈન્ડિયા એક્સપ્રેસની મુસાફરોથી ભરેલી ફ્લાઈટમાં બુધવારે મોટી દુર્ઘટના ટળી હતી. કોચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને ઓમાનના મસ્કત એરપોર્ટ પરથી તરત જ ખાલી કરાવવામાં આવી હતી કારણ કે ટેક-ઓફ પહેલા એન્જિનમાં આગ લાગી હતી. ચા
એર ઈન્ડિયા એક્સપ્રેસની મુસાફરોથી ભરેલી ફ્લાઈટમાં બુધવારે મોટી દુર્ઘટના ટળી હતી. કોચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને ઓમાનના મસ્કત એરપોર્ટ પરથી તરત જ ખાલી કરાવવામાં આવી હતી કારણ કે ટેક-ઓફ પહેલા એન્જિનમાં આગ લાગી હતી. ચાર બાળકો સહિત તમામ ક્રૂ અને 145 મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

એન્જિનમાં આગ લાગ્યા બાદ પ્લેનને ટર્મિનલ બિલ્ડિંગ તરફ વાળવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધી કોઈને ઈજા થઈ નથી. આ ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એક નિવેદનમાં કહ્યું કે મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે બે મહિના પહેલા કેરળના કોઝિકોડથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને સળગતી દુર્ગંધ આવતા મસ્કત તરફ વળવું પડ્યું હતું. જોકે, કોઈ નુકસાનના અહેવાલ નથી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં એરલાઈન્સ કંપનીઓની ફ્લાઈટમાં અવારનવાર ખામીઓ થવાના સમાચારો સામાન્ય બની ગયા છે.












Click it and Unblock the Notifications
