ઢાકામાં ઇસ્કોન મંદિર પર હુમલો, તોડફોડ બાદ કિંમતી સામાનની લૂંટ!
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં પણ હિંદુ મંદિરો પર હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. ગુરૂવારે રાજધાની ઢાકા સ્થિત ઈસ્કોન રાધાકાંતા મંદિર પર બદમાશોના ટોળાએ હુમલો કર્યો હતો.
નવી દિલ્હી, 18 માર્ચ : ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં પણ હિંદુ મંદિરો પર હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. ગુરૂવારે રાજધાની ઢાકા સ્થિત ઈસ્કોન રાધાકાંતા મંદિર પર બદમાશોના ટોળાએ હુમલો કર્યો હતો. આ પછી તેઓએ ત્યાં જોરદાર તોડફોડ કરી અને અંદર રાખેલ કિંમતી સામાનની લૂંટ ચલાવી. આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી સ્થાનિક પોલીસે તેના પર કોઈ કાર્યવાહી કરી નથી.
મળતી માહિતી મુજબ આ મંદિર ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટમાં આવેલું છે. ગુરુવારે સાંજે હાજી સૈફુલ્લાના નેતૃત્વમાં સેંકડો લોકોએ મંદિર પર હુમલો કર્યો હતો. આ સાથે ત્યાં રાખેલો સામાન પણ તૂટી ગયો હતો. આ દરમિયાન મંદિરમાં હાજર લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી. જેના કારણે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. લાંબા સમય બાદ પોલીસ ત્યાં પહોંચી અને બદમાશોનો પીછો કર્યો. આરોપીઓ સામે અત્યાર સુધી કાર્યવાહી ન કરવા બદલ બાંગ્લાદેશી હિંદુઓમાં રોષ છે.
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા કોઈ નવી વાત નથી. છેલ્લા 9 વર્ષમાં લઘુમતીઓને ત્યાં 3679 વખત નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં 1678 કેસ ધાર્મિક સ્થળોમાં તોડફોડના હતા. આ સાથે હિન્દુઓના ઘરોને પણ નિશાન બનાવાયા હતા. ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન કેટલાક અરાજક તત્વોએ દુર્ગા પૂજા પંડાલો વિશે અફવાઓ ફેલાવી હતી. જે બાદ હિન્દુઓના મંદિરો અને ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તે દરમિયાન ઢાકાના ઈસ્કોન મંદિર પર પણ બદમાશોએ હુમલો કર્યો હતો.