ભગવંત માને ઋષિ સુનકને બ્રિટનના પીએમ બનવા બદલ શુભકામનાઓ પાઠવી!
આખરે ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન પદની ખૂરશી પર કબ્જો કર્યો છે. પહેલી વખત લાંબી રેસમાં પાછળ છુટ્યા બાદ હવે સુનકને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે.
ચંદીગઢ : આખરે ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન પદની ખૂરશી પર કબ્જો કર્યો છે. પહેલી વખત લાંબી રેસમાં પાછળ છુટ્યા બાદ હવે સુનકને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. ઋષિ સુનક વડાપ્રધાન બનતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટર પર શુભકામનાઓ પાઠવી હતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને ઋષિ સુનકને શુભકામનાઓ પાઠવી હતી. ભગવંત માને શુભકામનાઓ પાઠવતા ટ્વિટ કર્યુ કે, દિવાળીની રાતે આવેલા સમાચારે દિવાળીની ખુશી અને ઉત્સાહને વધારી દીધો છે. પુરા પંજાબ તરફથી યુકેના પ્રધાનમંત્રી બનવા બદલ શુભકામનાઓ. તેમણે આગળ લખ્યુ કે, ઉમ્મીદ છે કે તેમના નેતૃત્વમાં પંજાબ અને બ્રિટનના સંબંધો વધુ મજબુત બનશે.
ਦੀਵਾਲੀ ਦੀ ਰਾਤ ਮਿਲੀ ਇਸ ਖ਼ਬਰ ਨੇ ਦੀਵਾਲੀ ਦੀ ਖੁਸ਼ੀ ਅਤੇ ਰੌਣਕ ਨੂੰ ਹੋਰ ਵਾਧਾ ਦਿੱਤਾ...
— Bhagwant Mann (@BhagwantMann) October 25, 2022
ਮੇਰੇ ਅਤੇ ਪੂਰੇ ਪੰਜਾਬ ਵੱਲੋਂ @RishiSunak ਜੀ ਨੂੰ UK ਦੇ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਵਜੋਂ ਚੁਣੇ ਜਾਣ 'ਤੇ ਮੁਬਾਰਕਾਂ ਅਤੇ ਉੱਮੀਦ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਤੁਹਾਡੀ ਅਗਵਾਈ ਵਿੱਚ UK ਅਤੇ ਪੰਜਾਬ ਦੇ ਰਿਸ਼ਤੇ ਹੋਰ ਮਜ਼ਬੂਤ ਹੋਣਗੇ... https://t.co/UKKL9pXV87
અહીં તમને જણાવી દઈએ કે, ઋષિ સુનક બ્રિટનને પહેલા વિદેશ મુળના વડાપ્રધાન છે. ઋષિ વડાપ્રધાન બનતા ભારતીય સમુદાયમાં ખુશીની લહેર છે. ભારતીયો તેને દિવાળીની સૌથી મોટી ભેટ ગણાવી રહ્યા છે. તેમની સરખામણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના દાવેદારોમાંથી કોઈ પણ 100 કે તેથી વધુ સાંસદોનું સમર્થન મેળવી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે ઋષિ સુનકના દાદા અને દાદી પંજાબના છે.