ભૂપેશ બઘેલ જ મુખ્યમંત્રી રહેશે, રાહુલ ગાંધી છત્તીસગઢ જશે!
લાંબા સમયથી છત્તીસગઢ કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે. આ ઝઘડાને સમાપ્ત કરવા રાહુલ ગાંધીએ સીએમ ભૂપેશ બઘેલ, ટીએસ સિંહ દેવ અને અન્ય કોંગ્રેસ ધારાસભ્યો સાથે મુલાકાત કરી.આ બેઠકમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ હાજરી આપી હતી.
લાંબા સમયથી છત્તીસગઢ કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે. આ ઝઘડાને સમાપ્ત કરવા રાહુલ ગાંધીએ સીએમ ભૂપેશ બઘેલ, ટીએસ સિંહ દેવ અને અન્ય કોંગ્રેસ ધારાસભ્યો સાથે મુલાકાત કરી.આ બેઠકમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ હાજરી આપી હતી. મીડિયા અહેવાલો અનુસાર હાલ ભૂપેશ બઘેલ જ મુખ્યમંત્રી રહેશે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મંત્રી ટી.એસ. સિંહ દેવ સાથે સત્તાની ખેંચતાણ વચ્ચે આજે રાહુલ ગાંધી સાથે ત્રણ કલાકની બેઠક બાદ જણાવ્યું હતું કે, "રોટેશન ફોર્મ્યુલા" સૂચવવામાં આવી નથી. તેમણે વધુમાં કહ્યું કે, મેં રાહુલજીને છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે આમંત્રણ આપ્યું છે. તેઓ રાજ્યમાં અત્યાર સુધી થયેલા વિકાસ કાર્યોને જોશે.
મુલાકાત બાદ બઘેલે કહ્યું કે, મેં તેમને (રાહુલ ગાંધી) બધું કહ્યું. રાજકીય તેમજ રાજ્ય વહીવટી ચર્ચાઓ થઈ. અંતે મેં રાહુલ ગાંધીને છત્તીસગઢ આવવા વિનંતી કરી. તેમણે આમંત્રણ ખુશીથી સ્વીકાર્યું. રાહુલ ગાંધી આગામી સપ્તાહે છત્તીસગઢની મુલાકાત લેશે. રાહુલ પહેલા બસ્તર જશે અને બે દિવસ બસ્તરમાં રહેશે અને પછી બે દિવસ સુરગુજા જશે. આગામી સમયમાં વિવિધ પ્રોજેક્ટ અને કામોનું નિરીક્ષણ કરવા માટે ત્યાં રાહુલ ત્રણ પ્રવાસ કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકમાં પ્રિયંકા ગાંધી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની તરફેણમાં ઉભા જોવા મળ્યા છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભૂપેશ બઘેલને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવાની વાત કરી હતી. તે પછી બેઠક છોડી દીધી હતી. આ પછી પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી અને ત્યારબાદ ફરીથી રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
બઘેલના સમર્થનમાં 30 થી વધુ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો દિલ્હીમાં હાજર છે. સૂત્રો કહે છે કે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાને જોતા તે મુખ્યમંત્રીને ટેકો આપવા આવ્યા છે. 20 જેટલા ધારાસભ્યો કોંગ્રેસના છત્તીસગઢના પ્રભારી પીએલ પુનિયાને મળ્યા હતા. આ ધારાસભ્યોએ નેતૃત્વમાં ફેરફાર ન કરવાની અને બઘેલને મુખ્યમંત્રી તરીકે રાખવાની હિમાયત કરી છે.