અફઘાનિસ્તાનમાં ક્રુર ઇસ્લામી રાજ, તાલિબાને લોકોના હાથ કાપ્યા, કોરડાથી માર્યો માર
તાલિબાને અફઘાનિસ્તાનમાં કઠોર શરિયા કાયદો લાગુ કર્યો છે અને છોકરીઓના શિક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. હવે લોકોના અંગભંગ કરવામાં આવી રહ્યાં છે.
અફઘાનિસ્તાનમાં ક્રૂર ઇસ્લામિક શાસન પાછું આવ્યું છે અને તાલિબાને આંતરરાષ્ટ્રીય સમુદાયને આપેલા તમામ વચનો તોડી નાખ્યા છે. તાલિબાને ભયજનક શરિયા કાયદા હેઠળ અફઘાનોને સજા કરવાનું શરૂ કર્યું છે, અને તાજેતરના અહેવાલો અનુસાર, તાલિબાને ખુલ્લા સ્ટેડિયમમાં લોકોના હાથ કાપી નાખ્યા છે અને ઘણા દોષિતોને કોરડા માર્યા છે.
તાલિબાનનુ ક્રુર શાસન
અફઘાનિસ્તાનનો એક નવો અહેવાલ કહે છે કે તાલિબાને લૂંટ અને પુરૂષ બળાત્કારના આરોપીઓ સામે ભયંકર શરિયા કાયદા હેઠળ સજા લાગુ કરી છે. રિપોર્ટ અનુસાર કંદહારના અહેમદ શાહી સ્ટેડિયમમાં 9 આરોપીઓને જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા. પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા હાજી ઝૈદે જણાવ્યું હતું કે દોષિતોને 35 થી 39 વખત કોરડા મારવામાં આવ્યા હતા અને અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ હાજર હતા, ટોલો ન્યૂઝ અનુસાર. તાલિબાનની સુપ્રીમ કોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંદહારના અહેમદ શાહી સ્ટેડિયમમાં લૂંટ અને "પુરુષો પર બળાત્કાર"ના આરોપમાં મંગળવારે નવ લોકોને સજા સંભળાવવામાં આવી હતી.
ચાર લોકોના કાપ્યા હાથ
અફઘાનિસ્તાનની પૂર્વ નીતિ સલાહકાર શબનમ નસીમીએ એક નિવેદનમાં કહ્યું છે કે તાલિબાને કંદહારના ફૂટબોલ સ્ટેડિયમમાં ચાર લોકોના હાથ પણ કાપી નાખ્યા છે. તેણે કહ્યું છે કે "તાલિબાને કંધારના ફૂટબોલ સ્ટેડિયમમાં આજે દર્શકોની સામે ચોરીના આરોપમાં 4 લોકોના હાથ કાપી નાખ્યા" તેણે કહ્યું છે કે આરોપીઓના હાથ કાપતા પહેલા તાલિબાને ન તો તેમની સામે કાર્યવાહી કરી કે ન તો કોઈ તપાસ કરી, તેમની સામે માત્ર હાથ કાપવાની સજા આપવામાં આવી. આ દરમિયાન, કોઈપણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં કોઈ પણ જાતની સુનાવણી કર્યા વિના લોકોને મારવામાં આવે છે અને માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
અફઘાનિસ્તાનમાં જંગલરાજ
ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ તાલિબાને જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરી હતી અને ત્યારથી એવી આશંકા હતી કે તાલિબાને અફઘાનિસ્તાનમાં જંગલરાજ સ્થાપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ કોરડા મારવાની ઘટનાની નિંદા કરી છે અને તાલિબાનને આ પ્રકારની કઠોર ઘટનાઓને તાત્કાલિક બંધ કરવા હાકલ કરી છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે, 'અમે કહીએ છીએ કે સજા સંભળાવતા પહેલા આરોપીને સંપૂર્ણ કાનૂની સહાય આપવામાં આવે અને માનવાધિકાર સાથે સુસંગત હોય તેવા કાયદાઓ બનાવવામાં આવે. અંગભેદન અને મૃત્યુદંડ જેવી સજા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.