કેલિફોર્નિયામાં ઓક્ટોબર મહિનો હિન્દૂ જાગરૂકતા માસ તરીકે જાહેર કરાશે
કાર્બેટે એક નિવેદનમાં કહ્યું હતું કે દસમી સ્ટેટ સીનેટ ડિસ્ટ્રીકના સીનેટરના રૂપમાં હિન્દૂ અમેરિકનો સહિત વિવિધ પૃષ્ઠભૂમિઓના મતાધિકારીઓનું પ્રતિનિધિત્વ કરવામાં હું ગૌરવ અનુભવું છું. તેમને કહ્યું હતું કે કેલિફોર્નિયા ત્રણ લાખ 70 હજારથી વધુ અમેરિકન હિન્દૂઓના ઘર છે જે અમારા રાજ્યની વિવિધતાને અને શિક્ષણ, વિજ્ઞાન, ટેક્નોલોજી, વેપાર, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં વ્યવસાયિક કૌશલ્યોને મજબૂત કરે છે.
પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્વામી વિવેકાનંદે 1893માં શિકાગોમાં આયોજીત વિશ્વ ધર્મ સંસદમાં અમેરિકાને આધિકારીક રૂપથી ધર્મથી પરિચિત કરાવ્યા હતા. સોમવારે પારિત કરવામાં આવેલા આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે કેલિફોર્નિયામાં હવે 50 થી વધુ હિન્દૂ મંદિર છે અને સાન ફ્રાંસિસ્કો બે વિસ્તારમાં તેમની સંખ્યા 20થી વધુ છે.
પ્રસ્તાવમાં અમેરિકાના 55 બિન સરકારી સંગઠનો, વિભિન્ન ધર્મોના નેતાઓ, નાગરિક અધિકાર કાર્યકર્તાઓ અને સામુદાયિક નેતાઓનું સમર્થન મળ્યું છે, જેમને પૂર્વમાં રાજ્યના બધા સીનેટરોને આને પારિત કરાવવા માટે પત્ર લખ્યો હતો. આ ઉલ્લેખ કરતાં અમેરિકી હિન્દૂઓ સહનશીલતા, વિવિધતા અને ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી છે, સીનેટે ઓક્ટોબર 2013ને કેલિફોર્નિયા હિન્દૂ હિન્દૂ જાગરૂકતા તથા પ્રશંસા માસના રૂપમાં જાહેર કરવાનો સંકલ્પ કર્યો છે. હિન્દૂ અમેરિકન ફાઉન્ડેશનના નિવેદનમાં કહ્યું હતું કે તે આ મહિને આખા રાજ્યમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરશે.